- ફેસબુક, ટ્વિટર બાદ હવે મોદીની વોટ્સએપ પર એન્ટ્રી
- વધુ એક ડિજિટલ મીડિયા પર વડાપ્રધાન મોદી
- ચેનલ શરૂ થતા જ 26000 લોકો જોડાઈ ગયા
દેશવાસીઓ વડાપ્રધાન મોદી સાથે ડાયરેક્ટ ક્નેક્ટ થઈ શકે છે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની એક વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. એક નવી પહેલના દ્રષ્ટિકોણથી આને જોવામાં આવે છે. આનાથી યુવાનો માટે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવી સરળ થઈ જશે. વડાપ્રધાન મોદી સાથે જોડાવવા માટે એક લિંક તૈયાર કરવામાં આવી છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ જોડાઈ શકે છે.













