વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા બિહારના જમુઈ પહોંચ્યા હતા. બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ. PM મોદીએ બિરસા મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યુ. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રૂ. 6,640 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો.


[[$googlead]]

11,000 મકાનોના ઉદ્ઘાટનમાં પણ ભાગ લીધો હતો.

[[$alsoread]]

PM મોદીએ પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહા અભિયાન (PM-જનમન) હેઠળ બાંધવામાં આવેલા 11,000 મકાનોના ઉદ્ઘાટનમાં પણ ભાગ લીધો હતો. તેઓ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સંભાળની પહોંચ વધારવા માટે PM-જનમન હેઠળ શરૂ કરાયેલા 23 મોબાઈલ મેડિકલ યુનિટ્સ (MMUs) અને ધરતી આબા આદિવાસી ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAZGUA) હેઠળ વધારાના 30 MMUનું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ.

રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન હાજર રહ્યા

પીએમ મોદીની જમુઈ બેઠકમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, જુઆલ ઓરાઓન, જીતન રામ માંઝી અને અન્ય નેતાઓ હાજર છે. પીએમ મોદીની સભામાં નજીકના જિલ્લાઓ અને ઝારખંડમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે પીએમની બિહારની આ બીજી મુલાકાત છે. બે દિવસ પહેલા તેમણે દરભંગામાં એઈમ્સ સહિત અન્ય રોડ અને રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું.

બિરસા મુંડાની યાદમાં સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમુઈ સભામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર વિશેષ સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું. ટપાલ વિભાગ દ્વારા 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

  • Follow us on: