PM મોદીએ લોકસભામાં મહાકુંભના સફળ આયોજનને લઇને સંબોધન કર્યું હતું  પીએમ મોદીએ યુપીની જનતા અને પ્રયાગરાજની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મહાકુંભના સફળ આયોજન બદલ જનતાને ધન્યવાદ કર્યા. તેમણે કહ્યું કે મહાકુંભની સફળતામાં સૌનું યોગદાન છે. પીએમ મોદીએ કહ્યું અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. આ એકતાનો અનુભવ આપણે પ્રયાગરાજ મહાકુંભમાં કર્યો.


[[$googlead]]

મહાકુંભના રૂપમાં, સમગ્ર વિશ્વએ ભારતના મહાન સ્વરૂપનું સાક્ષી બન્યું - પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે  મહાકુંભના આયોજન માટે પણ કઠોર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે પ્રયાગરાજના રહેવાસીઓ અને આ કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામ કર્મયોગીઓનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાકુંભના રૂપમાં, સમગ્ર વિશ્વએ ભારતના ભવ્ય સ્વરૂપનું સાક્ષી બન્યું. તેમણે કહ્યું કે મહાકુંભનો મહાન પ્રયાસ સફળ રહ્યો. મહાકુંભમાં રાષ્ટ્રીય ચેતના જોવા મળી અને મહાકુંભનો ઉત્સાહ અને ઉલ્લાસ અનુભવાયો. દેશની સામૂહિક ચેતનાનું પરિણામ મહાકુંભ દરમિયાન જોવા મળ્યું. યુવા પેઢી પણ મહાકુંભ સાથે સંપૂર્ણ ભાવનાથી જોડાઈ. મહાકુંભ પર પ્રશ્નો ઉઠાવનારાઓને તેમના જવાબ મળી ગયા છે. દેશના દરેક ખૂણામાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો છે. 

[[$alsoread]]


શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભાવથી એકઠા થયા તે આપણી મોટી તાકાત- પીએમ મોદી 

મોરેશિયસની પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ત્રિવેણીનું પવિત્ર જળ ત્યાં ગંગા તળાવમાં રેડવામાં આવ્યું હતું. તે વિશે પીએમ મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું કે  ભારતમાં દોઢ મહિના સુધી મહાકુંભનો ઉત્સાહ જોયો. શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભાવથી એકઠા થયા તે આપણી મોટી તાકાત છે. આ ઉમંગ અને ઉત્સાહ ત્યાં સુધી જ સીમિત ન હતો. હું મોરેશિયસ હતો ત્યારે ત્યાં ત્રિવેણી ઘાટનું પવિત્ર જળ લઇને ગયો હતો. મોરેશિયસના ગંગા તળાવમાં તે પાણી અર્પિત કરાયુ ત્યારે ત્યાં શ્રદ્ધા અને આસ્થાનો માહોલ બન્યો હતો. જે દર્શાવે છે કે આજે અમારી પરંપરા, સંસ્કૃતિ અને અમારા સંસ્કારોને આત્મસાત કરવાની ભાવના પ્રબળ થઇ રહી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મહાકુંભમાંથી અનેક પ્રેરણા પણ મળી છે. ઘણી નદીઓ એવી છે જેની પર સંકટ આવી રહ્યું છે. કુંભમાંથી પ્રેરણા લઇને નદી ઉત્સવ પરંપરા વિશે વિચારવુ જોઇએ. 


  • Follow us on: