- મંગળવારે બપોરથી રાત સુધીમાં પાણીના સ્તરમાં અચાનક પાંચ ફૂટ જેટલો વધારો થતાં વહીવટી તંત્રનું એલર્ટ
- યાત્રાળુઓ, દુકાનદારો પણ સલામત સ્થળે પહોંચી ગયા હતા
- મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે યમુનામાં જળસ્તરમાં વધારો
સંગમ ખાતે બડે હનુમાનજી મંદિરમાં યમુનાજીએ સ્નાન કરાવ્યુ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. સવારે 6.40 કલાકે સંગમનું પાણી ગર્ભગૃહમાં પહોંચ્યું હતું. યમુનાના જળસ્તરમાં ઝડપથી વધારો થયા બાદ મંગળવારે જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે સંગમનું પાણી હવે ગમે ત્યારે મંદિર પરિસરમાં પહોંચી શકે છે.
નાનકડી પૂજા બાદ ગર્ભગૃહ બંધ કરવામાં આવ્યું હતું
સવારે પાણી પહોંચતા જ ઘંટનાદ કરીને ખુશી વ્યક્ત કરી હતી. નાનકડી પૂજા બાદ ગર્ભગૃહ બંધ કરવામાં આવ્યું હતું. હવે પૂરના પાણી ઓસર્યા બાદ જ ભક્તો દર્શન અને પૂજા કરી શકશે. એવું માનવામાં આવે છે કે માતા ગંગા દર વર્ષે એકવાર બડે હનુમાનને મહાન સ્નાન કરાવે છે. બંને નદીઓ (ગંગા યમુના) 80 મીટરથી વધુ જળસ્તર સાથે વહી રહી છે. અહીં ડેન્જર પોઈન્ટ 84.73 મીટર છે. વહેલી સવારથી વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
જિલ્લા પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું
માન્યતા છે કે યમુનાજી એક વખત જરૂરથી અંજનીપુત્રને આ રીતે મહાસ્નાન કરાવે છે. જોકે હાલ પૂરથી જનજીવન અસ્ત વ્યસ્ત છે. યમુના કિનારે આવેલા શહેરના મહોલ્લા અને ગામડાઓમાં પણ આવી જ સ્થિતિ હતી. મંગળવારે બપોરથી સાંજ સુધીમાં યમુનાના જળસ્તરમાં લગભગ પાંચ ફૂટનો વધારો થતાં જિલ્લા પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે.
સંગમના અનેક ઘાટ ડૂબી ગયા
મંગળવારે રાત્રે યમુનાનું જળસ્તર 80.93 મીટરે પહોંચ્યું હતું. આ જ સ્થિતિ બુધવારે સાંજ સુધી ચાલુ રહેવાની ધારણા છે. યમુનાના જળસ્તરમાં વધારો થવાને કારણે રામ ઘાટ સહિત સંગમના અનેક ઘાટ ડૂબી ગયા હતા. હનુમાન મંદિર પરિસરમાં યમુનાનું પાણી ઘૂસી ગયું. એવી પણ આશા છે કે જો બુધવાર સુધી જળસ્તર વધવાનુ રહેશે તો બડે હનુમાનજી પણ મહા સ્નાન કરશે.
માતાટીલા સહિત અનેક ડેમમાંથી લગભગ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ
મધ્યપ્રદેશની કેન અને બેતવા અને રાજસ્થાનની ચંબલ સહિત લગભગ એક ડઝન નાની-મોટી નદીઓનું પાણી યમુનામાં આવી રહ્યું છે. માતાટીલા સહિત અનેક ડેમમાંથી લગભગ ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બાંદામાં કેનનું જળસ્તર મંગળવારે 108.75 મીટર અને યમુનાનું જળસ્તર 96.23 મીટરે પહોંચ્યું હતું.









