• રાહુલે ગુજરાત હાઈકોર્ટને પડકારતી અરજી દાખલ કરી
  • 2019ની લોકસભા પ્રચાર ચૂંટણીમાં સરનેમ પર કરી હતી ટીપ્પણી
  • બીજેપી નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો

ગુજરાત કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યા પછી રાહુલ ગાંધી 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ગયા છે. જ્યાં રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટના ઇનકારને પડકારતી અરજી દાખલ કરી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' પર અપરાધિક માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવાના ગુજરાત હાઈકોર્ટના ઇનકારને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં તેમને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ હવે 'મોદી સરનેમ' મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે શનિવારે (15 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. 7 જુલાઈના રોજ, ગુજરાત હાઈકોર્ટે આ માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા માટે રાહુલ ગાંધીની રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.

સુરતની કોર્ટે સજા ફટકારી હતી
મોદી સરનેમના માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. તેઓ હાલમાં જામીન પર બહાર છે, પરંતુ તેમને દોષિત ઠેરવવાને કારણે સાંસદ બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ માનહાનિનો કેસ 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે રાહુલ હાલમાં સાંસદ રહેવા કે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. રાહુલની અરજી હમણાં જ દાખલ કરવામાં આવી છે. શક્ય છે કે સોમવારે તેમના વકીલ ચીફ જસ્ટિસને વહેલી સુનાવણી માટે વિનંતી કરશે.

મોદી સરનેમનો મુદ્દો શું છે?
લલિત મોદી અને નીરવ મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે બધા ચોરોની સરનેમ કેમ હોય છે. તેમની ટિપ્પણી બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આ ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની બદનામી થઈ છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ટિપ્પણીથી 'સમગ્ર મોદી સમુદાય'ની બદનક્ષી થઈ હોવાનો આક્ષેપ કરીને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

લોકસભાના સભ્યપદેથી અયોગ્ય
આ કેસમાં ગુજરાતના સુરતની એક કોર્ટે 23 માર્ચ, 2023ના રોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જો કે, તે જ દિવસે તેને જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હતા જેથી તે 30 દિવસની અંદર તેની સજા સામે અપીલ કરી શકે. તેમની સજા સામે વાંધો ઉઠાવતા, રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો અને તેમની સજા પર સ્ટે મૂકવાની માંગ કરી. જેને 20 એપ્રિલે ફગાવી દેવામાં આવી હતી. આ પછી ગુજરાત હાઈકોર્ટે પણ તેમની રિવિઝન અરજી ફગાવી દીધી હતી.

  • Follow us on: