- મારું ગળું કાપી નાંખવામાં આવે તો પણ હું RSS ઑફિસમાં જઈ શકતો નથી: રાહુલ ગાંધી
- વરુણે RSSની વિચારધારાને અપનાવી છે: કોંગ્રેસ સાંસદ
- હું વરૂણને મળી શકું અને વધુમાં ભેટી શકું પરંતુ તેમની વિચારધારાને અપનાવી ના શકું: રાહુલ ગાંધી
ઉત્તર પ્રદેશના પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ખૂબ ચાલી રહી છે. આ ચર્ચા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાના નિવેદનથી શરૂ થઈ હતી. હવે ખુદ રાહુલ ગાંધીના નિવેદનથી વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાવા અંગેની અટકળોનો અંત આવી ગયો છે. આ માટે કોંગ્રેસના સાંસદની કોઈ મજબૂરી હોઈ શકે છે.
આ વાતને સમજવા માટે પ્રથમ આપણે તેમના નિવેદનને જોવું પડશે. વરુણ ગાંધીને જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ બીજેપીમાં છે, મારી વિચારધારા તેમની સાથે મેળ ખાતી નથી. મારું ગળું કાપી નાંખવામાં આવે તો પણ હું RSS ઑફિસમાં જઈ શકતો નથી. વરુણે એ વિચારધારાને અપનાવી છે. હું તેમને મળી શકું છું. અને વધુમાં તેમને ભેટી શકું છું. પરંતુ હું તેમની વિચારધારાને અપનાવી શકતો નથી.
