કાશ્મીરના અલવરના રહેવાસી સીઆરપીએફ જવાન નિતેશ યાદવના શહીદના સમાચાર સાંભળતા જ તેમના કાકા અજીત યાદવ ટેરેસ પરથી પડી ગયા હતા. આ અકસ્માતમાં તેમનું પણ મોત થયું હતું. એક જ ઘરમાં આવા બે મોતને પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં રહેતા એક જવાન કાશ્મીરમાં શહીદ થયા હતા. સમાચાર મળતાં જ તેમના ગામમાં લોકોએ તેમની શહાદત પર નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. શહીદના કાકા પણ તેમના ઘરના ત્રીજા માળે ઉભા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અચાનક તેમણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ નીચે પડી ગયા. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ પણ તેમને મૃત જાહેર કર્યા. મામલો અલવરના બેહરોડને અડીને આવેલા રેવાલી ગામનો છે.

મળતી માહિતી મુજબ, શનિવારે કાશ્મીરમાં સેનાની હિલચાલ દરમિયાન આ અકસ્માત થયો હતો. આર્મીની ટ્રક ખાડામાં પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અલવરના રહેવાસી સૈનિક નિતેશ યાદવ શહીદ થયા હતા. આ સમાચાર તેમના ગામ પહોંચતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ સાથે જ લોકોએ નિતેશ યાદવ દીર્ધાયુષ્યમાનના નારા લગાવવા લાગ્યા. લોકો સૈનિકના ઘરની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે ઘરના ત્રીજા માળે હાજર તેમના કાકા અજીત યાદવે પણ ત્યાંથી હાથ ઉંચો કરીને સુત્રોચ્ચાર શરૂ કર્યો હતો.

એક જ ઘરમાં બેના મોતથી શોકની લાગણી ફેલાઈ ગઈ હતી

આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો અને તેઓ નીચે પડી ગયા. તેમને તાકીદે બેહરોડ સીએચસીમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને જોતા જ મૃત જાહેર કર્યા. આમ એક જ ઘરમાં બેના મોત થતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. રેવાલીના સરપંચ રાજકુમારના જણાવ્યા અનુસાર, નિતેશ યાદવ શનિવારે જ શહીદ થયા હતા અને પરિવારને રવિવારે આ સમાચાર મળ્યા હતા.

નિતેશ યાદવ સીઆરપીએફમાં તૈનાત હતા

તેમણે જણાવ્યું કે નિતેશ સીઆરપીએફમાં તૈનાત હતા અને એક અઠવાડિયા પહેલા રજા લઈને ડ્યુટી પર પાછા ફર્યા હતા. તેમણે કહ્યું કે આ બે ઘટનાઓ સાંભળ્યા પછી આખા ગામમાં કોઈના ઘરમાં ચૂલો નથી સળગ્યો. તેમણે કહ્યું કે અજિત યાદવના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યો છે અને નીતિશનો મૃતદેહ ગામમાં પહોંચશે પછી બંનેના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવશે.

  • Follow us on: