• 27 જૂને વિશાળ ખેડૂત સંમેલન યોજાશે
  • સીએમ ગહેલોત આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા
  • મેવાડમાં થશે કેન્દ્રની એન્ટ્રી થશે

રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેને લઈને હાલમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત મેવાડની મુલાકાતો લઈ રહ્યા છે. 27 જૂને અહીં વિશાળ ખેડૂત સંમેલન થશે જેમાં સીએમ હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ પહેલા પણ સીએમ અહીં અનેક સભાઓ કરી ચૂક્યા છે. પણ હવે મેવાડમાં કેન્દ્રની એન્ટ્રી થશે, કેમકે 30 જૂને ભાજપથી લોકસભા સંમેલન યોજાશે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે. પહેલા 27 જૂને આવવાનો તેમનો પ્લાન હતો પણ હવે તેઓ 30 જૂને આવશે. ચર્ચા એવી છે કે ભાજપને કોઈ મોટા ચહેરાની જરૂરિયાત લાગી રહી હતી કેમકે સીએમ અશોક ગહેલોત મેવાડને લક્ષ્ય બનાવીને સતત પ્રવાસ કરી રહ્યા છે. તો સાથે મહામહિમ ગુલાબ ચંદ કટારિયાના ગયા બાદ ભાજપની પાસે મેવાડમાં ચહેરો બચ્યો નથી. એવામાં કેન્દ્રની દસ્તક જરૂરી છે. આ પહેલા પીએમ મોદી પણ રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં સભા કરી ચૂક્યા છે.

આવો હશે અમિત શાહનો કાર્યક્રમ

ભાજપ મીડિયાના ઉદયપુર સંભાગ પ્રભારી ચંચલ કુમાર અગ્રવાલે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂરા થવા પર લોકસભાનું મહાસંમેલનનું આયોજન 30 જૂને સવારે 9 વાગે શહેરના પ્રભારી દર્શક મંડપમાં હશે. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીના મહત્ત્વના કાર્યક્રમને 27 જૂનને બદલે 30 જૂને રાખવામાં આવ્યો છે. તેમાં વિભિન્ન પ્રકારના કાર્યોના નિમિત્ત વિભિન્ન પ્રકારની કમિટીનું ગઠન પણ કરાયું હતું તેમાં પદાધિકારીના અલગ અલગ વ્યવસ્થાઓને કરાઈ છે.

2 દિવસનો ખેડૂતોનો મેળો, 20 હજાર ખેડૂતો આવશે

રાજ્યના ખેડૂતોને કૃષિ જગતની નવીન ટેકનિકથી રૂબરૂ કરવાના ઉદ્દેશ્યથી 26 અને 27 જૂને ખેડૂતોનો મેળો હશો. તેમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતના આવવાની શક્યતાઓ છે. આ મેળો શહેરની પાસે બલીચાના કૃષિ ઉપજ મંડી સબયાર્ડમાં રહેશે. જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું કે ઉદયપુર સહિતના આસપાસના વિસ્તારોથી 20 હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ માટે 50 પ્રગતિશિલ ખેડૂતોની પસંદનું લિસ્ટ તૈયાર કરાઈ રહ્યું છે. 2 દિવસના આયોજનનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર સ્માર્ટ ફોર્મનું જીવંત પ્રદર્શન હશે. આ ફોર્મમાં શેડ મેટ, પોલી હાઉસ, ફાર્મ પાઉન્ડ, ડ્રીપ સિસ્ટમ પણ હશે. 100થી વધુ સ્ટોલ્સ લગાવાશે. તેમાં ઉદયપુરના 4005, બાંસવાડાના 2880, ડુંગરપુર, પ્રતાપપુર, ચિત્તોડગઢ, રાજસમંદ અને ભીલવાડાના 2520-2520 અને સાથે સિરોહીના 552 ખેડૂતો ભાગ લેશે. આ મેળામાં મહિલા ખેડૂતોની ભાગીદારી રહેશે. આ સાથે ઉદયપુરથી 900, બાસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢથી 450-450, રાજસમંદથી 180, ભીલવાડાથી 630 અને સિરોહીથી 90 મહિલા ખેડૂતો ભાગ લેશે.  

  • Follow us on: