રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન બનાવવામાં આવેલા 20 નવા જિલ્લાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ પૈકીના નવ જિલ્લાઓને નાબૂદ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે શનિવારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે સીએમ ભજન લાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગેહલોત સરકાર દરમિયાન બનાવવામાં આવેલા નવ જિલ્લાઓને નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી જોગારામ પટેલ અને સુમિત ગોદારાએ શનિવારે પત્રકારોને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભજનલાલ સરકારે અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન બનાવવામાં આવેલા 20 નવા જિલ્લાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે 20 માંથી આઠ જિલ્લા યથાવત રહેશે. અગાઉની સરકારે બનાવેલા નવા વિભાગો અસ્તિત્વમાં રહેશે નહીં.













