- ઘટનામાં ભાજપના 3 કાર્યકરો ઘાયલ થયા
- બાલાજી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ
- ઘાયલોને માનપુર હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મંગળવારે પોતાના વતન ભરતપુર ગયા હતા. મોડી સાંજે તેઓ ભરતપુરથી ગિરરાજજી મહારાજના દર્શન કરવા ગયા હતા. પરંતુ ગીરરાજજી મહારાજ પાસે જતા સમયે મુખ્યમંત્રીની કારને અકસ્માત નડ્યો હતો. જો કે, સદનસીબે મુખ્યમંત્રીને કોઈ ઈજા થઈ ન હતી. તેઓ બિલકુલ સુરક્ષિત છે. અકસ્માત બાદ ભજનલાલ શર્મા બીજી કારમાં ગીરરાજજી મહારાજ માટે રવાના થયા હતા.
દૌસા જિલ્લાના મહેંદીપુર બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઠિકરિયા ટર્નિંગ પાસે સીએમ ભજનલાલ શર્માના કાફલામાં ચાલી રહેલા બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં ભાજપના 3 કાર્યકરો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ બાલાજી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલિસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને માનપુર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.










