• જૈસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાનક્રેશ
  • ટેક્નિકલ કારણોસર વિમાન થયુ ક્રેશ
  • હાલમાં કોઇ જાનહાનિના સમાચાર નહી

રાજસ્થાનના જૈસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયુ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ કારણોસર આ દુર્ઘટના બની હતી. વિમાન પોતોની નિયમિત ઉડાન પર હતુ અને તે દરમિયાન જ આ ઘટના બની. જો કે હાલમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી.

30 કિમી દૂર જાજિયા ગામની ઘટના

ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે સવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ વાયુસેનાના અધિકારીઓ જિલ્લા પ્રશાસન સાથે જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર જાજિયા ગામમાં પહોંચ્યા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમે રિકોનિસન્સ એરક્રાફ્ટના કાટમાળમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી સામે આવી નથી.

કોઇ જાનહાનિ નહી

એર ફોર્સના જાસૂસી વિમાનમાં કોઇ પાયલટ હોતા નથી. તેને રિમોર્ટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારમાં જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. જેસલમેરના પિથલા ગામ પાસે આ પ્લેન જોરદાર વિસ્ફોટ સાથે ક્રેશ થયું હતું. જોરદાર વિસ્ફોટ સાંભળીને આસપાસના લોકો પ્લેન ક્રેશ સ્થળ પર પહોંચી ગયા હતા. વિમાન દુર્ઘટના બાદ કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.


  • Follow us on: