- બંદૂકધારીઓ ખૂબ જ ઓછા નજરે પડશે, છતાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય હશે
- ભીડ તથા થ્રેટ પરસેપ્શનનું વિશ્લેષણ કરીને સીઆઈએસએફએ સુરક્ષા સંબંધિત સૂચનો કર્યા છે
- આ યોજનામાં આઠ પોઇન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
રામમંદિરની સુરક્ષા વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવન અને સંસદભવનને સમકક્ષ રહેશે. રામમંદિરની સુરક્ષા વ્યવસ્થાની યોજના સીઆઈએસએફ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ યોજનામાં આઠ પોઇન્ટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રામમંદિરની સુરક્ષામાં આધુનિક સુરક્ષા ઉપકરણોનો વધારે ઉપયોગ કરવામાં આવશે. રામલલાના સંકુલમાં બંદૂકધારીઓ ખૂબ જ ઓછા નજરે આવશે, તેમ છતાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય હશે. સીઆઈએસએફએ પ્રદેશ સરકારને કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા છે, તે પછી રામમંદિરની સુરક્ષા યોજના બનીને તૈયાર થઇ છે. હવે આ યોજનાને અમલમાં મૂકવાની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. અહેવાલો અનુસાર રામમંદિર સંકુલની સુરક્ષા યોજનામાં દરેક બાબતને ધ્યાનથી વિચારવામાં આવી છે. ખાસ કરીને ભીડ તથા થ્રેટ પરસેપ્શનનું વિશ્લેષણ કરીને સીઆઈએસએફએ સુરક્ષા સંબંધિત સૂચનો કર્યા હતાં. નોંધનીય છે કે સીઆઈએસએફને આ કામગીરી માટે એટલે પસંદ કરવામાં આવ્યું છે કે આ કેન્દ્રીય દળ પાસે તિરુપતિ મંદિર, શીરડી સાંઇબાબા મંદિર, ગોરખનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને મહાબોધિની સુરક્ષાનો અનુભવ છે. રામમંદિરની સુરક્ષા માટે થ્રેટ પરસેપ્શન તૈયાર કરવા માટે સ્થાનિક પોલીસ, ગુપ્તચર એજન્સીઓ સહિત અલગ અલગ એજન્સીઓના ઇનપુટ મેળવવામાં આવ્યા હતાં. મંદિર માટે ભીડનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઇએ તેના માટે પણ એક મજબૂત યોજના તૈયાર કરવામાં આવી છે.
આ આઠ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે










