- 6 ડિસેમ્બરે મળવાની હતી INDI ગઠબંધનની બેઠક
- મમતા, નીતિશ, અખિલેશની ગેરહાજરીને કારણે રદ્દ કરાઇ હતી
- RJD સુપ્રીમો ગઠબંધનની બેઠકને લઈને આપ્યું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ વિપક્ષની એકતા દર્શાવવાનો પ્રયાસ હવે 17 ડિસેમ્બરે કરવામાં આવશે. પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બાદમાં યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સાથે જ્યારે વિપક્ષી એકતાના સૂત્રધાર નીતિશ કુમારે કોંગ્રેસ તરફથી નક્કી કરવામાં આવેલ 6 ડિસેમ્બરની બેઠકને લઈને દૂરી બનાવી દીધા બાદ આ બેઠક રદ્દ કરવી પડી હતી. હવે, RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ એકવાર ફરી સામે આવ્યા છે અને તેમણે મોટું નિવેદન આપ્યું છે.
લાલુ પ્રસાદ યાદવે મમતા બેનર્જીની નારાજગીના સવાલ પર સીધે સીધે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે 17 ડિસેમ્બરના રોજ બેઠક થશે. બધા હાજર રહેશે. RJD સુપ્રીમોના ‘બધા હાજર રહેશે’ વાળા નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે INDI અલાયન્સની બેઠકમાં સીએમ નીતિશ કુમાર અને મમતા બેનર્જી પણ હાજર રહેશે.










