• રાષ્ટ્રપતિ દ્વારા આપણો ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવશે
  • વડાપ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવે છે
  • 26 જાન્યુઆરીએ કેમ ધ્વજ લહેરાવામાં આવતો નથી?

ભારત આ વખતે પોતાનો 74મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રપતિ દ્વારા આપણો ત્રિરંગો ધ્વજ ફરકાવવામાં આવશે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે જ્યારે વડાપ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવે છે તો 26 જાન્યુઆરીએ કેમ ધ્વજ નથી લહેરાવતા? જો તમે આ વિશે જાણતા નથી તો કોઈ વાંધો નહીં ચાલો અમે તમને જણાવીએ કે આવું કેમ હોય છે?

15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન ધ્વજ ફરકાવે છે, જ્યારે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. આ બંને વચ્ચે ખૂબ જ નાનો તફાવત છે, પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી.

26 જાન્યુઆરીએ પીએમ ત્રિરંગો કેમ નથી ફરકાવતા?

આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી. તે સમયે વડાપ્રધાન દેશના વડા હતા, તેના કારણે આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. બીજી તરફ 24 જાન્યુઆરીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રપતિના શપથ લીધા હતા અને તેઓ હવે દેશના પ્રથમ નાગરિક બન્યા હતા. એટલા માટે રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવે છે.

ધ્વજ ફરકાવવાની જગ્યામાં પણ અંતર હોય છે

આપને જણાવી દઈએ કે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ લાલ કિલ્લા પર થાય છે. આ દિવસે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે. તો કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસનો કાર્યક્રમ થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.

હવે ફ્લેગ હોસ્ટિંગ અને ફ્લેગ અનફર્લિંગ વચ્ચેનો તફાવત જાણો

આપણો ત્રિરંગો બે રીતે લહેરાવવામાં આવે અને ફરકાવવામાં આવે છે. જે ધ્વજને ઉપરથી ખેંચીને લહેરાવવામાં આવે છે તેને ધ્વજવંદન કહેવાય છે. બીજી બાજુ પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રધ્વજ બાંધેલો રહે છે, તેને બસ ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજ ફરકાવ્યો (ફ્લેગ અનફર્લિંગ) કહેવામાં આવે છે.


  • Follow us on: