- સંદેશખાલી હિંસા મામલે આરોપી શાહજહાંની ધરપકડ
- 55 દિવસથી પોલીસ શોધી રહી હતી શાહજહાંને
- કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
સંદેશખાલી ઘટનાના મુખ્ય આરોપી શાહજહાં શેખને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ગુરુવારે ધરપકડ બાદ ટીએમસી નેતા શાહજહાં શેખને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા. આ પછી કોર્ટે શાહજહાં શેખના 10 દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા હતા. એટલું જ નહીં, કોર્ટે શાહજહાં શેખની જામીન અરજી ફગાવી દીધી હતી.
કેવી રીતે થઇ ધરપકડ
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના કેસમાં આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની 55 દિવસ પછી ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીથી લગભગ 30 કિમી દૂર મિનાખાનમાં એક ઘરમાંથી શેખની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ટીએમસી નેતા શાહજહાં શેખ કેટલાક સહયોગીઓ સાથે તે ઘરમાં છુપાયેલા હતા. ધરપકડ બાદ તેને બસીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
CID કરશે તપાસ
સંદેશખાલી કાંડના મુખ્ય આરોપી શાહજહાં શેખના કેસ પર પશ્ચિમ બંગાળની મમતા સરકારે મોટી કાર્યવાહી કરી છે. મમતા સરકારે શાહજહાં શેખ કેસની તપાસ CIDને સોંપી છે. એક અધિકારીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ સીઆઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ વિરુદ્ધ નોંધાયેલા કેસોની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે શાહજહાંની આજે જ ધરપકડ કરવામાં આવી છે.
55 દિવસથી હતો ફરાર
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર ટોળાના હુમલા બાદ શાહજહાં શેખ ફરાર હતો અને પોલીસ તેને 50 દિવસથી વધુ સમયથી શોધી રહી હતી. તેના પર સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો પણ આરોપ હતો. આ મામલો કલકત્તા હાઈકોર્ટમાં ગયા બાદ બંગાળ સરકારે દાવો કર્યો હતો કે પોલીસ સાત દિવસમાં શાહજહાંની ધરપકડ કરશે.
બસીરહાટ કોર્ટ લઇ જવાયો
શાહજહાંની ધરપકડ બાદ પોલીસે કહ્યું કે તેને ઉત્તર 24 પરગણા જિલ્લાના મિનાખાનામાં એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ પછી તેને બસીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને કોર્ટના જ લોકઅપમાં રાખવામાં આવ્યો.









