- રાહુલ ગાંધીએ સાવરકરને ભાજપ અને સંઘના પ્રતિક ગણાવ્યા હતા
- સંજય રાઉતે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા
- અગાઉ ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલના નિવેદન સામે અસહમતી દર્શાવેલી
શિવસેનાના સાંસદ સંજય રાઉતે વીર સાવરકર માટે ભારત રત્ન આપવાની માંગણી કરી છે અને સાવરકર પર કરેલી ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો પણ કર્યા છે.
મંગળવારે તેમની યાત્રાના ભાગ રૂપે આયોજિત વાશિમ જિલ્લામાં એક રેલી દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સાવરકર ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રતીક છે. તેઓ બે-ત્રણ વર્ષ આંદામાનની જેલમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમણે દયાની અરજીઓ લખવાનું શરૂ કર્યું હતું.










