કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી વિવિધ રાજ્યો અને કેન્દ્રીય સંગઠનોના 460 થી વધુ પોલીસકર્મીઓને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા માટે પોલીસ કર્મચારીઓને 2024 માટે ‘કેન્દ્રીય ગૃહ પ્રધાન કાર્યક્ષમતા ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પુરસ્કારો વિશેષ કામગીરી, તપાસ અને ફોરેન્સિક વિજ્ઞાનમાં અસાધારણ સેવા માટે આપવામાં આવે છે.
ફોરેન્સિક સાયન્સ માટે કોને મળ્યો પુરસ્કાર
ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં આ પુરસ્કાર મોહમ્મદ શાહબાઝ આલમ, ડૉ. પ્રવીણ યુ સંગનલામથ, શીજા એસ, ડૉ સંગીતા વિજય ઘુમટકર, એચ. સાંગચુંગનુંગા, ડો. રાજેશ સિંઘ, સુરેશ નંદગોપાલ અને ડો. અજીતેશ પાલ. જ્યારે વિશેષ કામગીરી માટે કુલ 348 લોકોને તેમની વિશેષ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
કેમ આપવામાં આવે છે આ એવોર્ડ ?
આ મેડલનો ઉદ્દેશ્ય પોલીસ અને સુરક્ષા દળોને પ્રોત્સાહિત કરવાનો અને ગુણવાન કર્મચારીઓનું સન્માન કરીને તેમનું મનોબળ વધારવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર કેન્દ્ર સરકાર દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. આઝાદી પછી, તેમના નેતૃત્વ હેઠળ રજવાડાઓ ભારતમાં ભળી ગયા. કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2024માં ગૃહ મંત્રાલય દ્વારા ‘કેન્દ્રીય ગૃહ મંત્રી કાર્યક્ષમતા ચંદ્રક’ની શરૂઆત કરવામાં આવી હતી.