• પોલીસે સાત વકીલો અને અન્ય 20 સહાયકોની ઓળખ કરી છે
  •  શાઇસ્તા પરવીનને ભાગી છૂટવામાં મદદ કરી હતી
  • મદદગારો શાઇસ્તા પરવીનને આર્થિક મદદ પણ કરી રહ્યા છે

ઉમેશ પાલ હત્યા કેસના આરોપીઓની શોધ હજુ ચાલુ છે. આ કેસમાં આરોપી અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન હજુ ફરાર છે. શાઈસ્તા પરવીન પર યુપી પોલીસ તરફથી 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેની શોધમાં યુપી એસટીએફ અને તપાસ એજન્સીઓ સ્થળે સ્થળે દરોડા પાડી રહી છે. પરંતુ આ તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે.

 અન્ય 20 સહાયકોની ઓળખ 

પોલીસે સાત વકીલો અને અન્ય 20 સહાયકોની ઓળખ કરી છે જેમણે શાઇસ્તા પરવીનને ભાગી છૂટવામાં મદદ કરી હતી. મદદગારો શાઇસ્તા પરવીનને આર્થિક મદદ પણ કરી રહ્યા છે. એસટીએફ અને પ્રયાગરાજ પોલીસ તેની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી છે. ફરાર શાઇસ્તા સામે કુલ ચાર કેસ નોંધાયેલા છે. જેમાંથી ત્રણ છેતરપિંડી સંબંધિત 2009માં નોંધાયા હતા. જ્યારે તેની સામે આ વર્ષે ચોથો કેસ નોંધવામાં આવ્યો છે.

આ લોકો મદદ કરી રહ્યા છે

ઉમેશ પાલ હત્યા કેસનો ચોથો કેસ 25 ફેબ્રુઆરીના રોજ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. શાઇસ્તા પરવીનના પિતા હારૂન રાજ્ય પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. તેના બે ભાઈઓમાંથી ઝકી અહેમદ હાલમાં લખનૌ જેલમાં બંધ છે. જ્યારે અન્ય સાબી મદરેસામાં શિક્ષક છે. સૂત્રોનું માનીએ તો શાઈસ્તા પરવીનના મદદગારોમાં સુધાંશુ ત્રિપાઠી ઉર્ફે બલ્લી પંડિત, મોહમ્મદ નફીસ, ઈર્શાદ ઉર્ફે સોનુ, અરશદ, સુલતાન અલી, બાંદાના ઝફર અહેમદ ખાન, ડૉ. શૈલા, અસદ, નૂર, મોહમ્મદ રશીદ ઉર્ફે નીલુનો સમાવેશ થાય છે. અવેઝ અહેમદ, અશરફનો સાળો સદ્દામ અને આસિફ ઉર્ફે મલ્લી તમામના નામ સામે આવ્યા છે.

ખાલિદ ઝફર અતીક અહેમદની બહેનનો જમાઈ 

નાણાકીય મદદ કરનારાઓમાં મોહમ્મદ મુસ્લિમ, અસલમ મંત્રી અને ખાલિદ ઝફરનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે ખાલિદ ઝફર અતીક અહેમદની બહેનનો જમાઈ છે અને તેના ઘરે પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલની સાથે બે સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. ત્યારથી બસપા નેતા શાઇસ્તા પરવીન ફરાર છે.