હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં એક મસ્જિદના કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ વકરી રહ્યો છે. શિમલાના સંજૌલીમાં હિંદુ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. પ્રદર્શનકારીઓ બેરિકે઼ડ્સ તોડીને મસ્જિદ તરફ આગળ વધી રહ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા ભેગા થયા હતા. પોલીસના બેરેકેડ્સ તો઼ડીને આગળ વધી જતા મામલો ગરમાયો હતો. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને હટાવાવમાં આવી રહ્યા છે.


સંજૌલીમાં શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બુધવારે સવારે 7 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. ત્યારબાદ પાંચ કે તેથી વધુ લોકોના એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે હિન્દુ સંગઠનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સંજૌલીમાં ધલી ટનલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. બહારથી આવતા વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયા વિરોધીઓએ ધાલી ટનલ પર લગાવેલા બેરિકેડિંગ તોડી નાખ્યા. પોલીસ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટનલને બેરિકેડ કરી અને ચેકિંગ કર્યા પછી માત્ર સામાન્ય લોકોને જ પગપાળા જવાની મંજૂરી આપવામાં આવી. આ દરમિયાન પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો.

જગ્યા ગેરકાયદેસર હશે તો તોડી પડાશે- વિક્રમાદિત્ય

આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે દરેકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ રાજ્યની શાંતિને બગાડે તેવી સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. રાજ્યનો કાયદો અને વ્યવસ્થા બગડવાની મંજૂરી આપી શકાય નહીં. સમગ્ર મામલો કોર્ટમાં છે. જો તે જગ્યા ગેરકાયદે જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે અને કાયદા મુજબ તેને તોડી પાડવામાં આવશે.



  • Follow us on: