- અયોધ્યામાં શ્રી રામલલ્લા પાર્ક બનવા જઈ રહ્યો છે
- 6.86 એકરમાં બનવા જઈ રહેલો આ પાર્ક ખૂબ જ સુંદર અને આધુનિક ડિઝાઈનનો હશે
- આ પાર્કમાં ઓપન જિમ, કાફેટેરિયા, લાઈટ એન્ડ સાઉન્ડ શો, કિડ્સ પ્લે એરિયા પણ બનાવવામાં આવશે
ભગવાન રામની નગરી અયોધ્યામાં શ્રી રામલલ્લા પાર્ક બનવા જઈ રહ્યો છે. 6.86 એકરમાં બનવા જઈ રહેલો આ પાર્ક ખૂબ જ સુંદર અને આધુનિક ડિઝાઈનનો હશે. આ પાર્કની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે શ્રી રામલલ્લા પાર્કમાં ઓપન જિમ, કાફેટેરિયા, લાઈટ એન્ડ સાઉન્ડ શો, કિડ્સ પ્લે એરિયા સહિત અન્ય સુવિધાઓ હશે. જેથી કરીને અહીં આવનારા લોકોને ભરપૂર મનોરંજન મળી શકે.
આ પાર્કમાં ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. અહીં રામાયણ કાળના વૃક્ષો અને છોડ વાવવામાં આવશે. આ પાર્ક લેગસી સાઈટ પર બનાવવામાં આવશે, જ્યાં દરેક જગ્યાએ ભગવાન શ્રી રામ સાથે સંબંધિત મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. અહીં આવનારા લોકોને અદભૂત નજારો જોવા મળશે. પાર્કમાં યોગ માટે જગ્યા પણ બનાવવામાં આવશે. અલગ-અલગ દેશોમાં પૂજાય છે તેવા ભગવાન રામની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.













