નવરાત્રિને હવે ગણતરીના દિવસોની વાર છે. આમ તો ગણેશોત્સવ આવે એટલે દેશમાં તહેવારની શરૂઆત થઇ ગઇ ગણાય. ત્યારે હવે દુર્ગા પૂજા, દિવાળી, છઠ પૂજા જેવા તહેવારો આવી રહ્યા છે. જેને લઇને રેલવે મંત્રી દ્વારા યાત્રીઓને અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કારણ કે તહેવારના સમયે રજા હોવાથી લોકો પોતાના ઘરે જાય છે. ઘર પરિવાર સાથે તહેવારની ઉજવણી કરે છે આવામાં રેલવે સ્ટેશન પણ ઘણી ભીડ જોવા મળે છે. પરંતુ તહેવારની સિઝનને ધ્યાને રાખીને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી છે.


રેલવે મુસાફરોને આપી ભેટ

દેશમાં તહેવારોની સિઝન શરૂ થવામાં જ છે. આવી સ્થિતિમાં ભારતીય રેલ્વેએ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને મોટી ભેટ આપી છે. ભારતીય રેલ્વે એ સુનિશ્ચિત કરવા માટે ટ્રેનોમાં કોચની સંખ્યામાં વધારો કરી રહી છે કે દિવાળી અને છઠ પૂજાના અવસર પર લોકોને તેમના પરિવાર સુધી પહોંચવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી છે.

12,500 કોચ મંજૂર

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે આગામી તહેવારોની સિઝનને ધ્યાને રાખીને રેલ્વેએ 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કર્યા છે. રેલ્વે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં વર્ષ 2024-25માં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે. જેના કારણે છઠ પૂજાના વખતે 1 કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાની સુવિધા મળશે. મહત્વનું છે કે ગત વર્ષ 2023-24માં તહેવારોની સિઝન દરમિયાન કુલ 4,429 વિશેષ ટ્રેનો દોડી હતી.



  • Follow us on: