• કેરળ સરકારે રાજ્યપાલ વિરુદ્ધ કરી છે અરજી
  • બિલને મંજૂરી આપતા ન હોવાનો લગાવ્યો છે આરોપ
  • આ મામલે સુપ્રિમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે સોમવારે કેરળ સરકારની અરજી પર કેન્દ્ર સરકાર અને કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલ પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પસાર થયેલા ઘણા બિલોને મંજૂરી આપી રહ્યા નથી.

વધુ સુનાવણી શુક્રવારે

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેપી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વરિષ્ઠ વકીલ કેકે વેણુગોપાલની રજૂઆત પર આ નોટિસ આપવામાં આવી છે. કે.કે વેણુગોપાલે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા આઠ બિલને મંજૂરી આપતા નથી. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામણીને નોટિસ ફટકારીને કે તેઓ અથવા સોલિસિટર જનરલ તુષાર મહેતા સુનાવણીમાં હાજર રહે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી શુક્રવારે સુનાવણી કરશે.

શું છે મામલો ?

કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી.. કેરળ સરકારનો આરોપ છે કે રાજ્યપાલ ઘણા બિલોને મંજૂરી આપી રહ્યા નથી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પાસે આઠ બિલ પેન્ડિંગ છે, જે રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ આ બિલ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ રાજ્યપાલ તેમને મંજૂરી આપી રહ્યા નથી. આરોપ છે કે છેલ્લા બે વર્ષથી ત્રણ બિલ રાજ્યપાલ પાસે પેન્ડિંગ છે.

કેરળ છે ત્રીજુ રાજ્ય

મહત્વનું છે કે આ પહેલા પંજાબની આપ પાર્ટી અને તમિલનાડુની ડી.એમ કે સ્ટાલિન સરકારે પણ રાજ્યોના રાજ્યપાલ સામે વિરોધ કરી ચૂકી છે. કેરળ ત્રીજું રાજ્ય છે જેણે એક સપ્તાહની અંદર આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ પહેલા 28 ઓક્ટોબરે પંજાબ સરકારે સાત બિલ માટે મંજૂરી મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યારે, તામિલનાડુની સ્ટાલિન સરકાર 31 ઓક્ટોબરે 12 બિલોને મંજૂરી આપવા માટે રાજ્યપાલ આરએન રવિ વિરુદ્ધ કોર્ટમાં ગઈ છે. ડીએમકે સરકારના પેન્ડિંગ બિલોમાં નિમણૂકો, કાર્યવાહીની મંજૂરી અને રાજ્યપાલ પાસે પેન્ડિંગ કેદીઓની અકાળે મુક્તિ સહિત અનેક બિલોનો સમાવેશ થાય છે.

બંધારણની કલમ 200 શું છે?

મહત્વનું છે કે બંધારણના અનુચ્છેદ 200 હેઠળ રાજ્યપાલ પાસે રાષ્ટ્રપતિની વિચારણા માટે કોઈપણ બિલને રોકવાની સત્તા છે. જો તે નાણા બિલ ન હોય તો રાજ્યપાલ આ બિલોને ફરીથી વિધાનસભામાં વિચારણા માટે મોકલી શકે છે. જો વિધાનસભા ફરીથી આ બિલો પસાર કરે છે, તો રાજ્યપાલ બિલને રોકી શકેનહીં. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2023 માં તેના એક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને ઝડપથી પસાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.


  • Follow us on: