તમિલનાડુના ત્રિચીમાં એક ઘરમાં પાણીની ટાંકી માટે જમીન ખોદતી વખતે ત્રણ પંચલોકની મૂર્તિઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. થોડી જ વારમાં ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું. માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ મૂર્તિઓ જપ્ત કરી તપાસ માટે મોકલી આપી છે. જપ્ત મૂર્તિઓને જિલ્લા તિજોરીમાં રાખવામાં આવી છે. ખોદકામ દરમિયાન મળી આવેલ ત્રણ મૂર્તિઓમાં એક મૂર્તિ ભગવાન રામની છે અને બે મૂર્તિ દેવીની હોય તેવી છે.


ત્રિચી જિલ્લામાં પંચલોકની મૂર્તિ મળી આવી 

પ્રાપ્ત માહિતી મુજબ સુરેશ ત્રિચી જિલ્લાના મન્નાચનાલ્લુર પાસે વેંગનકુડીમાં રહે છે. તેણે પોતાના ઘરમાં પાણીની અંડરગ્રાઉંડ ટાંકી બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે કામદારો ઘરની નજીક જમીન ખોદી રહ્યા હતા. લગભગ છ ફૂટ ઊંડો ખાડો ખોદાઈ ગયા બાદ ખોદકામ દરમિયાન અચાનક મજૂરનો પાવડો કોઈ ધાતુ જેવી વસ્તુ સાથે અથડાઈ ગયો હતો. જેને કારણે તેણે તરત જ ખોદકામ અટકાવ્યું અને ઘર માલિક સુરેશને જાણ કરી હતી. ત્યારબાદ સુરેશની હાજરીમાં તેણે ખૂબ જ કાળજીપૂર્વક ખાડો ખોદ્યતા તેમાં ત્રણ પંચલોકની મૂર્તિઓ મળી આવી હતી.

મૂર્તિઓને જિલ્લા તિજોરી કચેરીમાં મૂકવામાં આવી

સુરેશે તરત જ મન્નાચનાલ્લુર પોલીસ, સમયાપુરમ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ઈલાંગોવન, તહસીલદાર પલાનીવેલ અને મહેસૂલ અધિકારીઓને જાણ કરી હતી. જેના આધારે તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મૂર્તિઓ જપ્ત કરી હતી, ત્યારબાદ તમામને જિલ્લા તિજોરી કચેરીમાં લઈ જવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું છે કે પ્રતિમા શું છે અને ક્યારે બનાવવામાં આવી હતી તેની વિગતો નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ કર્યા પછી જાહેર કરવામાં આવશે, જે પ્રતિમાની ઉંમર અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરશે. સાથે જ અધિકારીઓએ કહ્યું છે કે ત્રણ મૂર્તિઓમાંથી એક ભગવાન રામ જેવી છે અને બાકીની બે દેવી જેવી છે.

રાનીપેટ જિલ્લામાં 2 ફૂટ ઊંચી પ્રાચીન પ્રતિમા મળી

થોડા દિવસો પહેલા રાનીપેટ જિલ્લામાં અધિકારીઓએ એમ્પોનની બે મૂર્તિઓ મેળવી હતી. રાનીપેટ જિલ્લામાં શોલિંગારાની બાજુમાં રેંદડી પંચાયત વિસ્તારમાં પુલિયામંગલમ નામનું ગામ છે. અહીં એક ખેડૂતે પોતાની જમીનમાં શેરડી વાવી હતી. તે છેલ્લા કેટલાક દિવસોથી સાથી મજૂરો સાથે તેની કાપણી કરી રહ્યો હતો. દરમિયાન, કામદારો શેરડી કાપી રહ્યા હતા જ્યારે તેમને લગભગ 2 ફૂટ ઊંચી બે રંગની પ્રતિમા મળી આવી હતી.  પુરાતત્વ વિભાગ આ મૂર્તિઓની કોઈએ ચોરી કરીને અહીં છુપાવી છે કે નહીં તે કેવી રીતે અહીં સુધી પહોંચી તેની તપાસ ચાલી રહી છે.

ભગવાન રામની પંચલોકની મૂર્તિ મળી આવી 

  • Follow us on: