• લોકોને વળતર આપવાની યોજનામાં ફેરફાર કરી શકાય છે

  • સમિતિએ કહ્યું કે અસરગ્રસ્તોના મહત્ત્વના દસ્તાવેજો ગુમ, સરકાર ફરી કાઢી આપે
  • બીજા રિપોર્ટમાં લોકોને વળતર આપવાની યોજનામાં ફેરફાર સૂચવાયા છે.

મણિપુર હિંસા મામલે તપાસ કરવા તેમજ રાહત અને પુનઃવસન કાર્ય માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ જસ્ટિસ ગીતા મિત્તલનાં વડપણ હેઠળ 3 મહિલા પૂર્વ જજની સમિતિ રચાઈ હતી. ગીતા મિત્તલ સમિતિએ સોમવારે સુપ્રીમ કોર્ટને આ સંદર્ભમાં 3 રિપોર્ટ સોંપ્યા હતા. પૂર્વ જજ ગીતા મિત્તલે કહ્યું હતું કે હિંસાગ્રસ્ત લોકોને આપવામાં આવનાર વળતરની યોજનામાં ફેરફાર કરી શકાય છે. સમિતિએ એવું પણ કહ્યું હતું કે, રાજ્યનાં હિંસાગ્રસ્ત લોકોનાં મહત્ત્વના દસ્તાવેજો ગુમ થઈ ગયા છે જે સરકારે ફરી કાઢી આપવા જોઈએ. કોર્ટે કેસની વધુ સુનાવણી 25મીએ હાથ ધરવાનું નક્કી કરતા કહ્યું કે 25મીએ સમિતિને તમામ કામકાજની સુવિધા અને અધિકારો આપવાનો આદેશ આપીશું. વહીવટી મદદ તેમજ ફંડિંગ આપવા ફરમાન કરીશું. સુપ્રીમ કોર્ટની બેન્ચ મહિલા હિંસાને લગતી 10 અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડે શું કહ્યું?

સોમવારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, ત્રણ મહિલા જજની સમિતિ દ્વારા અમને 3 રિપોર્ટ મળ્યા છે. CJI એ કહ્યું કે સોલિસીટર જનરલ તેનો અભ્યાસ કરીને અમને અભિપ્રાય સૂચવે અને સરકાર અમને મદદ કરે. એક રિપોર્ટમાં મણિપુરનાં નાગરિકોનાં ખોવાયેલા અને નાશ પામેલ દસ્તાવેજો ફરી કાઢવા સરકારને અપીલ કરાઈ છે. બીજા રિપોર્ટમાં લોકોને વળતર આપવાની યોજનામાં ફેરફાર સૂચવાયા છે.


  • Follow us on: