- કેલેન્ડર વર્ષના છેલ્લા રવિવારે મન કી બાતમાં બોલતાં પીએમએ દેશને શુભેચ્છા પાઠવી
- 108નો આંકડો આસ્થા સાથે જોડાયેલો છે તેથી જ મન કી બાતનો 108મો એપિસોડ વધુ ખાસ
- વિકસિત ભારતની ભાવનાથી આત્મનિર્ભરતાની ભાવનાથી ઓતપ્રોત છે
કેલેન્ડર વર્ષના છેલ્લા રવિવારે મન કી બાતમાં બોલતાં પીએમએ દેશવાસીઓને 2024ની શુભેચ્છા પાઠવી હતી. વર્ષના આખરી મન કી બાત કાર્યક્રમમાં બોલતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે પોતાના પરિવારના લોકોને મળીને જેવું લાગે તેવું જ મને આપ લોકોને આ રેડિયો કાર્યક્રમ મારફત વાત કરીને લાગે છે. તેમણે જણાવ્યું હતું કે 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી ખાસ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે દેશનો ખૂણેખૂણો આત્મવિશ્વાસથી છલકાય છે. વિકસિત ભારતની ભાવનાથી આત્મનિર્ભરતાની ભાવનાથી ઓતપ્રોત છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે 2024માં પણ આપણે આ ભાવનાને જાળવી રાખવાની છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે આપણી સામૂહિક યાત્રાનો 108મો એપિસોડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ છે. તેની પવિત્રતા એક ઊંડા અભ્યાસનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ... 108નો આ આંકડો અસિમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી જ મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે વધુ ખાસ બની ગયો છે. આ 108 એપિસોડમાં આપણે જનભાગીદારીના અનેક ઉદાહરણો જોયા છે.
સાવિત્રીબાઇ ફુલેને યાદ કર્યાં










