- ઝાંસી ખજુરાહો હાઈવે પર થયો અકસ્માત
- શ્રદ્ધાળુઓથી ભરેલી રિક્ષા એક ટ્રક સાથે અથડાઈ
- ગમખ્વાર અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓના મોત
મધ્યપ્રદેશના છતરપુરમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમના લોહીથી લથબથ મૃતદેહ જોઈને પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે, શ્રદ્ધાળુઓથી ભરેલી ઓટો એક ટ્રક સાથે અથડાઈ હતી અને તે રસ્તાની વચ્ચે પલટી ગઈ હતી.
અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
આ માર્ગ અકસ્માતમાં બાગેશ્વર ધામના 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 6 ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 39 પર કડારી ગામ પાસે ઝાંસી-ખજુરાહો તરફ જતા માર્ગ પર થયો હતો. મંગળવારે સવારે 5 વાગ્યાની આસપાસ એક ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને છતરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રિક્ષા ચાલકની ભૂલને કારણે આ અકસ્માત થયો
સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વાલ્મિક ચૌબેએ અકસ્માતની પુષ્ટિ કરી હતી. તેઓએ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. છતરપુરના એસપી અગમ જૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બાળકો અને વૃદ્ધ લોકો પણ સામેલ છે. અકસ્માતના ત્રણ કારણો પણ સામે આવ્યા છે. રિક્ષા ચાલકની ભૂલને કારણે આ અકસ્માત થયો, જેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
ઝાંસી ખજુરાહો હાઈવે પર અકસ્માત થયો હતો
આ અકસ્માત ઝાંસી ખજુરાહો હાઈવે પર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા. ઓટો સવારો બાગેશ્વર ધામ ખાતે બાબાના દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અથડામણને કારણે રિક્ષા ખરાબ રીતે કચડાઈ ગઈ હતી. ટ્રકને પણ ઘણું નુકસાન થયું છે. આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી.
લોહીથી લથબથ મૃતદેહો રિક્ષામાં ફસાયા હતા
લોકોના લોહીથી લથબથ મૃતદેહો રિક્ષામાં ફસાયા હતા. અકસ્માતનું કારણ ઓવરલોડિંગ અને ઓવર સ્પીડ હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઓટોમાં લગભગ 15 લોકો હતા, જેથી ટક્કર થતાં જ તે બધા રસ્તા પર પડી ગયા અને માથામાં ઈજાને કારણે વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું. પોલીસે ઓટોને કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
રિક્ષામાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા
ટ્રક સાથે અથડાયા બાદ અકસ્માતનો ભોગ બનેલી ટેક્સી છતરપુર રેલવે સ્ટેશનથી નીકળી હતી અને બાગેશ્વર ધામ જઈ રહી હતી. ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી છતરપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી અને રિક્ષામાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.