કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકાર 3.0નું આ પહેલું પૂર્ણ સમયનું સામાન્ય બજેટ છે. આ બજેટમાં મોદી સરકારે કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ ITR ફાઈલ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે.
આ બજેટ અંગે જાણીતા CAના જણાવ્યા મુજબ, અગાઉ અપડેટેડ રિટર્ન (ITR-U) ફાઇલ કરવાની સમય મર્યાદા બે વર્ષની હતી. પરંતુ હવે સરકારે આ સમયગાળો વધારીને 4 વર્ષ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં 30 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઈલ ન કરવા પર 1000 રૂપિયાનો દંડ છે અને 30 ડિસેમ્બર પછી રિટર્ન ફાઈલ કરનારા માટે 5000 રૂપિયાનો દંડ છે.
મોટી સંખ્યામાં કરદાતાઓને લાભ મળશે
CAએ મીડિયાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને ફાયદો થશે. ઘણી વખત લોકો કોઈને કોઈ કારણોસર આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકતા ન હતા. આમ કરનારાઓ પર દંડની જોગવાઈ પણ છે, પરંતુ હવે ITR નિયમોમાં સુધારા બાદ તેમને અપડેટેડ રિટર્ન ફાઈલ કરવા માટે 4 વર્ષ સુધીનો સમય મળશે.
રિટર્ન ફાઈલ કરવા માટે 45 દિવસનો સમય મળે છે
સીએએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો હવે કોઈપણ આકારણી વર્ષ માટે 2ને બદલે 4 વર્ષમાં ITR-U ફાઇલ કરી શકશે. તેમણે કહ્યું કે હાલમાં રિટર્ન 31 જુલાઈ સુધીમાં ભરવાનું રહેશે. આ માટેનું ફોર્મ 16 15મી જૂન સુધીમાં મેળવી લેવાશે. રિટર્ન ફાઈલ કરવા માટે તમને 45 દિવસ સુધીનો સમય મળે છે. અત્યાર સુધી, અપડેટેડ રિટર્ન 2 વર્ષ સુધી ફાઇલ કરી શકાય છે. પરંતુ હવે અમને આ માટે 4 વર્ષનો સમય મળશે.