- કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMC પર લગાવ્યો ગંભીર આરોપ
- TMCને લોકોનું ભલું કરવામાં રસ નથી- નિરંજન જ્યોતિ
- નિરંજન જ્યોતિ ખોટું બોલી રહ્યા છે: TMC
કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMC પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, મનરેગાના પેન્ડિંગ મુદ્દા પર TMC રાજકીય નાટકો કરી રહી છે. TMCએ પ્રતિક્રયા આતા કહ્યું કે, નિરંજન જ્યોતિ ખોટું બોલી રહ્યા છે.
પશ્ચિમ બંગાળના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ ટીએમસી પર મનરેગાને લઈને રાજકીય નાટકો કરવાનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી નિરંજન જ્યોતિએ કહ્યું કે TMC આગામી લોકસભા પહેલા માત્ર રાજકીય નાટકો કરી રહી છે. તેમણે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 100-દિવસીય કાર્ય યોજના માટેના ભંડોળના ઉપયોગની વિસંગતતાઓ દર્શાવી. કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ TMCના આરોપોને નકારી કાઢ્યા હતા કે મંત્રી જાણીજોઈને દિલ્હીમાં પશ્ચિમ બંગાળ સરકારના પ્રતિનિધિમંડળને મળ્યા ન હતા. આરોપોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે TMC આ મુદ્દાનું રાજનીતિકરણ કરવા માંગે છે.













