- લખીમપુર-બહરાઈચ રોડ પર બસનો અકસ્માત
- ઘટનામાં 4 લોકોના મોત અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
લખીમપુર-બહરાઈચ રોડ પર યુપી રોડવેઝની એક ઝડપી બસ અને મેજિક વાહનની ધડાકાભેર અથડામણ થઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લખીમપુર ખેરીમાં માર્ગ અકસ્માત બાદ મેકેમાં ખળભળાટ મચી ગયો હતો. લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
લખીમપુર ખેરીમાં માર્ગ અકસ્માત બહરાઈચ-લખીમપુર રોડ પર રબાહી પુલ પાસે થયો હતો. અહીં, લખીમપુર ખેરીથી બહરાઈચ જઈ રહેલી મુસાફરોથી ભરેલી યુપી રોડવેઝની બસને ઓવરટેક કરતી વખતે મેજિક વાહન સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર બાદ યુપી રોડવેઝની બસ અને મેજિક બંને રોડની બાજુમાં ખાડામાં પડી ગયા હતા. મેજિકમાં સવાર લોકો પણ રોડ પર પડ્યા હતા.










