• જેલવાસ દરમિયાન અતીકે ધંધા યુપી બહાર લઇ જવા યોજના બનાવી હતી
  • મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતને બનાવવા માંગતો હતો પોતાનું બીજું ઘર
  • યોગી સરકારના આવ્યા બાદ તેને ધંધા બદલવાની શરૂઆત કરી દીધી હતી

ઉત્તર પ્રદેશનો માફિયા ડોન અતીક અહેમદને એ વાતનો અંદાજો તો ચોક્કસ હતો કે યોગી આદિત્યનાથની સરકારમાં તેના દિવસો ભરાઈ ગયા છે. પરંતુ એવી સ્થિતિ આવી જશે કે તેણે પોતાનો ધંધો ન માત્ર ઉત્તર પ્રદેશની બહાર લઇ જવો પડશે પરંતુ આખે આખો ધંધો જ બદલી દેવો પડશે તેનો અંદાજો તો તેને બિલકુલ નહોતો. પરંતુ સ્થિતિ બદલવાની સાથે ન માટે તેણે ઉત્તર પ્રદેશમાંથી ખુલ્લેઆમ ખંડણી અને અપહરણ જેવા ધંધા બંધ કરવા પડ્યા, પરંતુ પોતાના બીજા ઘર તરીકે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને જેલમાં બંધ રહ્યા દરમિયાન ગુજરાતમાં મજબૂત નેટવર્ક બનાવવું પડ્યું હતું.

સુત્રો મુજબ, ક્યારેક અતિકના ઈશારે તેના સાગરીતો પાણીની જેમ પૈસો વહાવી દેતા હતા. પરંતુ બદલાયેલ સ્થિતિમાં તે લોકોએ ન માત્ર અતીકને પણ તેના દીકરાઓને પણ મહત્વ આપવાનું બંધ કરી દીધું હતું.

સૌથી પહેલા ધંધો 6 વર્ષ પહેલા બદલ્યો

અતીકના મોત બાદ હવે કેટલાય રહસ્યોના ખુલાસા થઇ રહ્યા છે જે તે વાતનો ઈશારો કરે છે કે ઉત્તર પ્રદેશમાં તેની કમર તૂટી ગઈ હતી અને તે પોતાનું નેટવર્ક દેશના અનુ રાજ્યોમાં પણ ફેલાવી રહ્યો હતો. સુત્રો મુજબ, અતીક અહેમદે પોતાના ધંધામાં ફેરફાર કરવાની યોજનાઓ બનાવી હતી, જયારે તેને એ વાતનો વિશ્વાસ થઇ ગયો કે જેલમાં કેદ થયા બાદ કદાચ જ બહાર નીકળી શકશે. ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નિવૃત્ત અધિકારીનું કહેવું છે કે અતીક અહેમદ ઉત્તર પ્રદેશમાં ખંડણી અને અપહરણની સાથે સાથે લોકોની જમીન પચાવી પાડવાની સાથે હત્યા અને અન્ય અપરાધીઓને સંરક્ષણ આપવાનું કામ એક ધંધા તરીકે કરતો હતો. પરંતુ યોગી સરકાર આવ્યા બાદ તેને જેલ થઇ, તો તેને પોતાના અપરાધિક ધંધામાં ન માત્ર નુકશાન થયું પરંતુ તેણે પોતાના અપરાધિક ધંધાઓ ઉત્તર પ્રદેશથી અન્ય રાજ્યોમાં શિફ્ટ કરવાની યોજના પણ બનાવવી પડી હતી.

સુત્રો જણાવે છે કે અતીક અહેમદ સૌથી પહેલો ધંધો છ વર્ષ પહેલા બદલ્યો હતો. આ ધંધો અતીકે ગેરકાયદેસર હથિયારોના વેપારનો શરૂ કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે છ વર્ષ પહેલા અતીક અહેમદે પંજાબ અને જમ્મુ કાશ્મીરથી પાકિસ્તાનથી આવતા શસ્ત્રોને ઠેકાણે લગાવીને એક સંગઠિત ગેંગ તરીકે હથિયારોની સપ્લાયમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અતીકે ન માત્ર પાકિસ્તાન અને ISIના આકાઓ સાથે હાથ મિલાવ્યા, પરંતુ કાશ્મીરના આતંકવાદી સંગઠનો અને પંજાબની ગેંગ સાથે પણ મિત્રતા વધારવાનું શરૂ કર્યું. તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદના ધંધાની કમર તૂટ્યા બાદ તે આગળ વધવા માટે આવા જ રસ્તાઓ શોધી રહ્યો હતો. તેથી તેણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા તેમજ હથિયારોના વ્યવહારમાં પોતાની જાતને અને તેની ગેંગને સામેલ કરવાનું શરૂ કર્યું.

  • Follow us on: