યુપી સરકારે ઓપરેશન સિંદૂર પછી મોટો નિર્ણય લીધો છે. સામૂહિક વિવાહ યોજના હેઠળ મળતી ભેટમાં કન્યાને સિંદૂરદાન પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. એટલુ જ નહી, આ યોજનાનો લાભ લેનારની આવક મર્યાદા 2 લાખથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. સાથે જ પ્રતિ યુગલ 51 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા રોકડા આપવાનો પણ આદેશ જાહેર કર્યો છે.

કોને અપાશે પ્રાથમિકતા ?
સરકારી આદેશ મુજબ છોકરીનો વાલી ઉત્તર પ્રદેશનો વતની હોવો જોઈએ. લગ્નયોગ્ય ઉંમરની પુષ્ટિ માટે શાળાના રેકોર્ડ, જન્મ પ્રમાણપત્ર, મતદાર ઓળખ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ અને આધાર કાર્ડ માન્ય રહેશે. આ યોજના હેઠળ નિરાધાર છોકરીઓ, વિધવા મહિલાઓની પુત્રીઓ, અપંગ માતાપિતાની પુત્રીઓ અને અપંગ પુત્રીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

પૂજારી-મૌલવીની દાનદક્ષિણા પણ સામેલ
 સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા સ્તરે ડીએમની દેખરેખ હેઠળ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરશે. છોકરીના ખાતામાં 60 હજાર રૂપિયા મોકલવામાં આવશે. ૨૫ હજાર રૂપિયાની લગ્ન ભેટ વસ્તુઓ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રતિ યુગલ ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ થશે.

ઉત્તમ કક્ષાનો હશે મંડપ
આ રકમમાં લગ્નનું સંચાલન કરનારા પુજારી અને મૌલવીની દક્ષિણા અને મહેનતાણું પણ શામેલ હશે. 100 કે તેથી વધુ યુગલોના લગ્ન સમારોહ માટે જર્મન હેંગરની વ્યવસ્થા કરવામાં આવશે. આ મંડપ ખૂબ જ ઉત્તમ ગુણવત્તાનો છે.
  • Follow us on: