• અતીક અહેમદ અને અશરફની હત્યાનો કેસ

  • યુપી પોલીસને માફિયાઓના હત્યા કેસમાં મળી ક્લીનચીટ
  • પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં થઈ હતી હત્યા

અતીક અહેમદ અને અશરફની 15 એપ્રિલ 2023ના રોજ પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 87 સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી અને વિડિયો ફૂટેજની સમીક્ષા કર્યા બાદ પંચને જાણવા મળ્યું કે આ ઘટના અચાનક બની હતી અને પોલીસ કર્મચારીઓની પ્રતિક્રિયા તાત્કાલિક અને સામાન્ય હતી.

અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં ક્લીનચીટ મળી

યુપી પોલીસને માફિયા અતીક અહેમદ અને અશરફ હત્યા કેસમાં ક્લીનચીટ મળી છે. ગુરુવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ન્યાયિક પંચના તપાસ અહેવાલમાં આ કેસમાં પોલીસને નિર્દોષ જાહેર કરવામાં આવી છે, અને એ પણ કહ્યું છે કે અતીક અહેમદ અને અશરફની હત્યા પૂર્વ આયોજિત નહોતી. પોલીસ માટે આ ઘટના ટાળવી શક્ય ન હતી. પોલીસ તરફથી કોઈ બેદરકારી જોવા મળી નથી.

રાજ્ય અને પોલીસ તંત્ર વચ્ચે કોઈ મિલીભગત નથી

ઉત્તર પ્રદેશના માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના તપાસ અહેવાલ મુજબ રાજ્ય અને પોલીસ તંત્ર વચ્ચે કોઈ મિલીભગત નથી. અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ બાબા સાહેબ ભોંસલેની અધ્યક્ષતામાં રચાયેલ પાંચ સભ્યોના પંચે તારણ કાઢ્યું હતું કે હત્યા પૂર્વ આયોજિત કાવતરું હતું જેને ટાળી શકાયું ન હતું.

પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી

કમિશનની તપાસમાં પોલીસ કે રાજ્ય તંત્રની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. આ હત્યા ગયા વર્ષે એપ્રિલમાં થઈ હતી. અતીક અહેમદ અને અશરફની 15 એપ્રિલ 2023ના રોજ પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 87 સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી અને વિડિયો ફૂટેજની સમીક્ષા કર્યા બાદ પંચને જાણવા મળ્યું કે આ ઘટના અચાનક બની હતી અને પોલીસ કર્મચારીઓની પ્રતિક્રિયા તાત્કાલિક અને સામાન્ય હતી.

મીડિયાકર્મીઓની પ્રવૃત્તિઓ પર પ્રશ્નો ઉભા થયા હતા

આ હત્યાકાંડ નવ સેકન્ડમાં થયો હતો, જેમાં પોલીસને દરમિયાનગીરી કરવાનો સમય મળ્યો નહોતો. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે અતીક અને અશરફની સુરક્ષા માટે સામાન્ય કરતાં વધુ કર્મચારીઓ તૈનાત કર્યા હતા. જેલથી લઈને રિમાન્ડ સુધી સુરક્ષા વ્યવસ્થા મજબુત હતી. જો કે, મીડિયાની હાજરી પોલીસની કામગીરીમાં અવરોધ ઉભી કરી હતી અને હત્યાકાંડ દરમિયાન મીડિયાકર્મીઓની પ્રવૃત્તિઓ પર પ્રશ્નો ઉભા થયા હતા.

મીડિયાની હાજરીમાં અતિક અને અશરફની હત્યા

કમિશને હુમલાખોરોના હેતુ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમણે કુખ્યાત થવા માટે મીડિયાની હાજરીમાં અતિક અને અશરફની હત્યા કરી હતી. આ ઘટનાને કારણે પોલીસને મહત્વની માહિતી પણ ગુમાવવી પડી, જેમ કે અતિક અને અશરફના આતંકવાદી સંગઠનો અને ISI સાથેના સંબંધો.


  • Follow us on: