યુપીના બહરાઇચમાં વરુનો આતંક યથાવત જોવા મળ્યો છે.રોજબરોજ કોઇને કોઇને આદમખોર વરુ નિશાનો બનાવી રહ્યો છે. વન વિભાગની ટીમ વરુને ઝડપી પાડવા માટે કામે લાગી છે. ટીમ દ્વારા દિવસ રાત એક કરીને વરુને ઝડપી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જો કે હજી એક વરુને ઝડપી પાડવાનું બાકી છે . તે પકડની બહાર છે. આ વરુએ 50 વર્ષીય મહિલાને નિશાને બનાવી હોવાનું સામે આવ્યું છે.
50 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ
બહરાઈચમાં લંગડા વરુ સરદારના હુમલામાં 50 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. વરુના હુમલામાં ઘાયલ થયેલા પુષ્પા દેવીના પતિએ જણાવ્યું હતું કે મારી પત્ની પર વરુએ હુમલો કર્યો. 10 થી 10:30 વાગ્યાની આસપાસની આ ઘટના છે. તેની ગરદન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી તે પહેલા કોઈ અવાજ કરી શકી ન હતી, પરંતુ તેણીએ વરુને દૂર ધકેલ્યો અને તે જ ક્ષણે તેણીએ ચીસો પાડી અને પછી અમે જાગી અને જોયું કે તે લોહી વહેતું હતું. પુષ્પા દેવી નામની 50 વર્ષીય મહિલા પર કથિત રીતે વરુએ હુમલો કર્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે.
રાત્રે 10 વાગે બની ઘટના
પુષ્પા દેવીના જમાઈ દિનેશે કહ્યુંઆ ઘટના રાત્રે 10 વાગ્યે બની હતી જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા. એક બાળકે દરવાજો ખોલ્યો હશે અને વરુ ક્યાંક છુપાયેલું હશે. વરુએ આવીને ગળાથી પકડી લીધી. પરિવાર સભ્યો તેમની ચીસો સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને તેમની તરફ દોડ્યા.
બે બાળકી થઇ હતી ઇજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં સત્તાવાળાઓએ છઠ્ઠા વરુની શોધ ચાલુ રાખી છે. ગત રાત્રે શહેરમાં માનવભક્ષી વરુના હુમલામાં 11 વર્ષની બે બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બંનેને સારવાર માટે મહાસીની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે વરુએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. યુવતીને સીએચસી મહસીમાં દાખલ કરવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે.
5 ઝડપાયા એક બાકી
તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે ઉત્તર પ્રદેશ વન વિભાગે પાંચમા 'કિલર' વરુને પકડ્યો હતો, જ્યારે એક હજુ પકડાયો નથી. બહરાઈચમાં ગ્રામીણો પર અનેક હુમલા પાછળ વરુનો હાથ હતો. ઉત્તર પ્રદેશ વન વિભાગ વરુને રેસ્ક્યુ શેલ્ટરમાં લઈ ગયો. ઉત્તર પ્રદેશના વન વિભાગે બહરાઈચ વન વિભાગના બહરાઈચ રેન્જમાં મહસી તહસીલ હેઠળના 25-30 ગામોમાં તાજેતરના હુમલા માટે જવાબદાર વરુઓના સમૂહને પકડવા માટે ઓપરેશન ભેડિયા શરૂ કર્યું હતું.
અત્યાર સુધી 10ના મોત
બહરાઈચમાં વન વિભાગે વરુઓની કોઈપણ હિલચાલ પર નજર રાખવા માટે આ વિસ્તારમાં વરુના મોટા ભાગના સંભવિત રહેઠાણો પર સ્નેપ કેમેરા લગાવ્યા હતા, જે વન વિભાગને વરુની પ્રવૃત્તિ વિશે જાણવા અને તેમને પકડવામાં મદદ કરશે. સિકંદરપુર ગામની છ ગુફાઓની આસપાસ ત્રણ સ્નેપ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેને સ્થાનિક ગ્રામજનો વરુનો વસવાટ માને છે. બહરાઈચના વિવિધ ગામોમાં માનવભક્ષી વરુઓના હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે.













