• યુપીના બહરાઇચમાં આદમખોર વરુ ઝડપાયુ
  • વનવિભાગે ચોથા વરુને ઝડપી પાડ્યું
  • અગાઉ 3ને વનવિભાગે ઝડપી લીધા હતા

યુપીમાં બહરાઇમાં જનપદના મહસી વિસ્તારમાં આદમખોર વરુઓનો આતંક જોવા મળ્યો હતો. ગામમાં માનવભક્ષી વરુઓનું ઝૂંડ ઘુસી જતા ગ્રામજનોની ઉંઘ ઉડી ગઇ હતી. ત્યારે વન વિભાગે આજે ચોથા વરુને પાંજરે પુર્યુ છે. આ પહેલા 3 આદમખોર વરુોને વનવિભાગે દબોચી લીધી હતા. મહત્વનું છે કે નરભક્ષી વરુઓની શોધમાં 11 ટીમ વ્યસ્ત બની છે. દિવસ રાત એક કરીને શોધખોળ કરવામાં આવી રહી છે. આદમખોર દીપડાના આતંકથી 70 હજારથી વધારે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. 


ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

મળતી માહિતી મુજબ વન વિભાગની ટીમે વરુને પકડવા માટે મહસીના સિસૈયાના દરિયા કિનારે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં તે ફસાઈ ગયુ. વરુ પકડાયાના સમાચાર મળતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગના જણાવ્યા અનુસાર, તે ચાર વરુઓનું પેક હતું, જેણે 8 બાળકો સહિત 9 લોકોને મારી નાખ્યા હતા.

  • Follow us on: