પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. ત્યારે આજે શનિવારે મતગણતરી થઈ રહી છે. શરૂઆતી ટ્રેન્ડમાં પ્રિયંકા ગાંધીને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપ પાછળ જોવા મળી રહ્યું છે. હાલમાં મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી 9914 મતોથી આગળ છે.

પ્રિયંકાગાઁધી લડી રહી છે ચૂંટણી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 2024ની સામાન્ય ચૂંટણીમાં સતત બીજી વખત આ સીટ જીતીને સંસદમાં પહોંચ્યા હતા. આ વખતે તેમણે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના CPI(M)ના ઉમેદવાર એની રાજાને 3 લાખ 64 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. રાહુલે ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી સભ્યપદ જાળવી રાખતાં વાયનાડ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું, તેથી અહીં યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં તેમની બહેન પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહી છે.

9.50ની સ્થિતિ 

પ્રિયંકા ગાંધીને 68917 વોટ મળ્યા છે. તે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સત્યન મોકેરીથી 48239 વોટથી આગળ છે.

9.30ની સ્થિતિ
ભાજપના નવ્યા હરિદાસ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે અને તેમને 5995 મત મળ્યા છે.


ગત વખતે કેટલું મતદાન થયું હતું?

છેલ્લી ચૂંટણીમાં વાયનાડ લોકસભા સીટ પર 73.57 ટકા મતદાન થયું હતું. તે સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કુલ 6,47,445 વોટ મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરીફ એની રાજા માત્ર 2,83,023 મતો સુધી મર્યાદિત હતા. એ જ રીતે ત્રીજા સ્થાને રહેલા બીજેપી ઉમેદવાર કે સુરેન્દ્રનને માત્ર 141,045 વોટ મળ્યા.

આ વખતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના ઉમેદવાર છે. તેમની હરીફાઈમાં સત્યન મોકેરીને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPM)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નવ્યા હરિદાસ પણ ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ પેટાચૂંટણીમાં કુલ 16 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થયું હતું.

દક્ષિણ ભારતની હાઇપ્રોફાઇલ બેઠક વાયનાડ
કેરળની વાયનાડ લોકસભા સીટ દક્ષિણ ભારતમાં હાઈપ્રોફાઈલ સીટ રહી છે. 2019માં અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને સંસદ પહોંચ્યા હતા. કર્ણાટક અને તમિલનાડુની સરહદ પર સ્થિત કેરળની વાયનાડ સીટ માત્ર રાજકીય મહત્વ જ નથી, તેની સાંસ્કૃતિક વારસો અને પરંપરા પણ ખૂબ સમૃદ્ધ છે. વલ્લીયુર કેવુ ભગવતી મંદિર અને અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. આ લોકસભા મતવિસ્તારમાં અનુસૂચિત જનજાતિની સૌથી વધુ વસ્તી છે. કાળા મરી અને કોફીની ખેતી અહીં પુષ્કળ પ્રમાણમાં થાય છે. હકીકતમાં, આ કારણે, વાયનાડ સમગ્ર વિશ્વમાં જાણીતું છે.

રાહુલે 2019માં મેળવી હતી જીત 
2019ની લોકસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધીએ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કુલ 7,06,367 મતો મેળવ્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ રાહુલ ગાંધીને કુલ 64.94 ટકા વોટ મળ્યા છે. તે સમયે બીજા સ્થાને રહેલા સીપીઆઈ (માર્કસિસ્ટ)ના પીપી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા. કોંગ્રેસના દિવંગત નેતા એમઆઈ શનાવાસ 2009 અને 2014માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં તેમના દુર્ભાગ્યપૂર્ણ અવસાન પછી, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.

  • Follow us on: