- આ નેતાઓએ કેન્દ્રની પેનલનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે
- લદ્દાખ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સંમતિથી નિર્ણય લીધો
- કેન્દ્ર અમારા રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માગની વિરુદ્ધ છે
આ સમિતિમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખના સંસદસભ્ય, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સર્વોચ્ચ સંસ્થાના નવ પ્રતિનિધિ સભ્યો તરીકે છે. કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપતા લદ્દાખના નેતાઓએ તેમની ઉચ્ચ સ્તરીય સમિતિમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. આ નેતાઓનું કહેવું છે કે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે તે પહેલા જમ્મુ અને કાશ્મીરની સાથે તે વધુ યોગ્ય હતું. આ નેતાઓનો આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રદેશમાં અસંતોષને સમાપ્ત કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કર્યાના થોડા દિવસો બાદ લેવામાં આવ્યો છે. આ નેતાઓએ પણ કેન્દ્રની પેનલનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે.
લદ્દાખ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સર્વોચ્ચ સંસ્થાએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે આ સમિતિ કોઈપણ કાર્યવાહીનો ભાગ બનશે નહીં. જ્યાં સુધી લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ વિશેષ દરજ્જો સહિતની તેમની માગણીઓને એજન્ડાનો ભાગ બનાવવામાં ન આવે. આ સમિતિમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખના સંસદસભ્ય, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સર્વોચ્ચ સંસ્થાના નવ પ્રતિનિધિ સભ્યો તરીકે છે.










