• પરગનામાં ઇડીની ટીમ પર કરાયો હુમલો
  • આ મામલે NIAની તપાસ કરાવા ભાજપે લખ્યો પત્ર
  • ગૃહમંત્રાલયને પત્ર લખીને કરી માંગ

બંગાળમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર થયેલા હુમલાને લઈને ભાજપે શાસક ટીએમસી પર આકરા પ્રહારો કર્યા છે. શુક્રવારે કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બદમાશોએ તેમના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. ત્યારે હવે ભાજપે આ મામલે તપાસની માંગ કરી છે.

 NIA તપાસની માંગ

પશ્ચિમ બંગાળ ભાજપે ED ટીમ પર હુમલાની NIA દ્વારા તપાસની માંગ કરી છે, ભાજપે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં પશ્ચિમ બંગાળના બીજેપી પ્રમુખ ડૉ. સુકાંત મજુમદારે શુક્રવારે સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર થયેલા હુમલાની NIA તપાસની માંગ કરી છે. તો બીજી તરફ સંદેશખાલીમાં દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર થયેલા હુમલા બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે આજે ગૃહ સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યા હતા.



રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાય- બીજેપી સાંસદ

તો આ મામલે બીજેપીના સાંસદ રાજુ બિસ્તાએ જણાવ્યું કે આ ઘટની નીંદનીય છે. આ હુમલો માત્ર એક સ્વતંત્ર એજન્સી પર ન હતો, પરંતુ ભારતના બંધારણ પર હતો.. આ ઘટનાએ ફરી બધાનું ધ્યાન પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તરફ ખેંચ્યું છે... ટીએમસીના નેતાઓ ભ્રષ્ટાચાર, ચોરી અને જનતાના પૈસા ઝૂંટવી લે છે. ત્યારે તેની પર તપાસ થતા ટીએમસી ભ્રષ્ટાચારના આરોપથી બચાવવા માટે ઇડી પર હુમલાઓ કરાવે છે. સાથે જ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન તત્કાલ રૂપથી લાગુ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. 

  • Follow us on: