- NEET-PG પરીક્ષાની નવી તારીખને લઇ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
- NBE દ્વારા એક-બે દિવસમાં NEET-PGની તારીખ જાહેર થશે: ધર્મેન્દ્ર પ્રધાન
- પરીક્ષા હવે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન નવેસરથી લેવામાં આવશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે જણાવ્યું હતું કે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) આગામી બે દિવસમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET-PG) માટેની નવી તારીખની જાહેરાત કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિને લઈને વધતા વિવાદ વચ્ચે સાવચેતીના પગલા તરીકે ગયા અઠવાડિયે રદ કરાયેલી પરીક્ષાઓમાં NEET-PG પરીક્ષાઓ પણ સામેલ હતી.
એક-બે દિવસમાં જાહેરાત કરાશે
