- સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યૂ વોલ બનાવવામાં આવી હતી: ગડકરી
- નવયુગ એન્જીનિયરિંગ કંપની લિમિટેડ કરે છે ટનલનું નિર્માણ
- ધારાસુ-યુમુનોત્રી હાઇવે (NH-134)પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાંથી 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ, હવે સવાલો ઉઠી રહ્યા છે કે ઈમરજન્સી માટે તેની અંદર અલગ રૂટ કેમ બનાવવામાં ન આવ્યો. દરમિયાન, સરકારે બુધવારે જણાવ્યું હતું કે ટનલમાં એક અલગ દિવાલ બનાવવામાં આવી હતી, જેમાં નિયમિત અંતરે પ્રવેશ ખોલવામાં આવતા હતા. તેનો ઉપયોગ ઇમરજન્સીની સ્થિતિમાં બચવાના માર્ગ તરીકે કરી શકાતો હતો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ધારાસુ-યુમુનોત્રી હાઇવે (NH-134) પર સિલ્ક્યારા દ્વિ-દિશા ટનલ પર વાહનોના ક્રોસઓવર માટે 565 મીટર અને પદયાત્રી ક્રોસ પેસેજ માટે 300 મીટરના સરેરાશ અંતરાલે બહાર નીકળવાના રસ્તાની સાથે સાથે કેરેજવેના કેન્દ્રમાં અલગ દીવાલ મૂકવામાં આવી હતી.










