દેશમાં ઘણા એવા મંદિરો છે જ્યાં જવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવુ પડે છે. ખાસ કરીને કપડા વ્યવસ્થિત પહેરીને જવા પડે છે. ત્યારે આજે આપણે જાણીએ એવા કયા લોકપ્રિય મંદિરો છે જેમાં ભક્તોને ભારતીય પરિધાન પહેરીને જ જવાની સલાહ આપી છે. પરંતુ શું આપ જાણો છે કે દેશમાં સૌથી પહેલા કયા મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો. આજે અમે તમને તે વિશે જણાવીશું.
સિદ્ધિ વિનાયકમાં ડ્રેસકોડ
મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. દુનિયાભરના ભક્તો, જેમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ સામેલ છે, આ મંદિરમાં દર્શન માટે આવે છે. પરંતુ હવે મંદિર પ્રશાસને ભક્તો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, મંદિરમાં આવનારા ભક્તોએ યોગ્ય અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા પડશે. એટલું જ નહીં, સ્કર્ટ અથવા ખુલ્લા કપડાં પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે આ નવો નિયમ આવતા અઠવાડિયાથી અમલમાં આવશે.
આ મંદિરોમાં પણ ડ્રેસ કોડ લાગુ
- મહત્વનું છે કે વર્ષ 2024માં ડિસેમ્બરમાં જ વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ભક્તોને ટૂંકા કપડાં, હાફ પેન્ટ અને ચામડાના બેલ્ટ પહેરીને ઠાકુર બાંકે બિહારી મંદિરમાં ન જવા વિનંતી કરવામાં આવી હતી.
- ગયા વર્ષે જ, ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ જાહેર કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી, 2024 થી જગન્નાથ મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરેલા ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.
- મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભક્તો માટે પ્રવેશ માટે સપ્ટેમ્બર 2023 માં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાંના નિયમો અનુસાર, પુરુષોને ફક્ત ધોતી પહેરીને પ્રવેશ આપવામાં આવે છે અને સ્ત્રીઓને ફક્ત સાડી પહેરીને પ્રવેશ આપવામાં આવે છે.
સૌ પહેલા કયા મંદિરમાં ડ્રેસકોડ લાગુ થયો?
હવે પ્રશ્ન એ છે કે દેશના કયા મંદિરમાં ડ્રેસ કોડ સૌથી પહેલા લાગુ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગુરુવાયુર કૃષ્ણ મંદિરમાં 15 વર્ષથી ડ્રેસ કોડ લાગુ છે. આ ભગવાન કૃષ્ણનું મંદિર છે, જે કેરળમાં આવેલું છે. આ મંદિરના ડ્રેસ કોડ મુજબ, પુરુષો પરંપરાગત લુંગી પહેરીને જ ભગવાનના દર્શન કરી શકે છે. લુંગી પુરુષોની છાતી સાથે બાંધેલી હોવી જોઈએ. તે જ સમયે, મહિલાઓને ફક્ત સાડી અથવા સૂટ પહેરીને જ ભગવાનના દર્શન કરવાની છૂટ છે.