આપણને જ્યારે હેડકી આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે કોઇ તમને યાદ કરી રહ્યુ હશે,. પરંતુ શું ખરેખર તમને ખબર છે કે હેડકી કેમ આવે છે. આજે તમને જણાવીશું કે શું ખરેખર પાણી પીવાથી હેડકી મટી જાય છે. આજે અમે તમને જણાવીશું તેની પાછળનું કારણ

કેમ આવે છે હેડકી ?
તમને જણાવી દઈએ કે શરીરમાં ડાયાફ્રેમમાં શરીરના સૌથી નીચેના ભાગમાં ફેફસા અને પેટની વચ્ચે ગુંબજ આકારના સ્નાયુઓ હોય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે ડાયાફ્રેમ આ સ્નાયુઓને નીચે તરફ ખેંચે છે. આ સિવાય શ્વાસ છોડતી વખતે તે ફરી આરામની સ્થિતિમાં આવી જાય છે. પરિણામે જો ડાયાફ્રેમમાં જો કોઇ સમસ્યા થાય તો તેમાં ખેંચાણ થાય છે. ગળામાં હવા બંધ થવા લાગે છે. જેના કારણે અવાજ કરવામાં અડચણ આવે છે. વોકલ કોર્ડમાં આ અચાનક અવરોધને કારણે હેડકીનો અવાજ આવે છે.

હેડકીનો ઇલાજ કેવી રીતે કરવો
આપણે જાણીએ છીએ કે હેડકી બહુ ઓછા સમય માટે આવે છે. તે પછી તે જાતે જ ઠીક થઈ જાય છે, પરંતુ કેટલીકવાર તે લાંબા સમય સુધી ચાલુ રહે છે. આ ત્યારે થાય છે જ્યારે ડાયાફ્રેમ સંબંધિત ચેતાને નુકસાન થાય છે. નર્વસ સિસ્ટમની વિકૃતિઓ પણ લાંબા સમય સુધી હેડકીનું કારણ બની શકે છે.

કેવી રીતે હેડકી મટે ?
કહેવાય છે કે પાણી પીવાથી હેડકી ઓછી થાય છે. તેમાં પણ ઠંડુ પાણી પીવું સૌથી સામાન્ય છે. પરંતુ કેટલાક નિષ્ણાતો કહે છે કે શ્વાસ થોડીવાર રોકી રાખવાથી રાહત મળી શકે છે. સાથે જ પેપર બેગમાં શ્વાસ લેવાથી હેડકી પણ બંધ થાય છે. આ બંને પદ્ધતિઓમાં ફેફસાંમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે ડાયાફ્રેમને રાહત આપે છે.
નિષ્ણાતોના મતે હેડકી એ એક પ્રકારનું અનૈચ્છિક સંકોચન છે, જેને ઘરેલું ઉપચારથી ઠીક કરી શકાય છે. જો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેના પર પણ આધાર રાખે છે. જાણકારી અનુસાર હેડકીથી છુટકારો મેળવવા માટે ઠંડુ પાણી પીવું જોઈએ.
  • Follow us on: