ભારતીય સેનામાં નેપાળના યુવાનો મોટી સંખ્યામાં સામેલ છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે કયા દેશોના યુવાનો ભારતીય સેનામાં જોડાઈ શકે છે. તો આવો જાણીએ. તમે ભારતીય સેનામાં ગોરખા રેજિમેન્ટનું નામ સાંભળ્યું જ હશે. નેપાળના યુવાનો, ખાસ કરીને ગોરખા રેજિમેન્ટમાં ભરતી કરવામાં આવે છે. નેપાળના ગોરખાઓ મૂળભૂત રીતે ભારતીય સેનાનો એક ભાગ છે. ભારતીય સેનામાં 04 ગોરખા રેજિમેન્ટ છે.

નેપાળના નાગરિકો જોડાય છે સેનામાં 
ભારતના પડોશી દેશ નેપાળના નાગરિકો ભારતીય સેનામાં જોડાઈ શકે છે. ખાસ કરીને આ યુવાનો માટે એક ગોરખા રેજિમેન્ટ છે. તમને જણાવી દઈએ કે આ પરંપરા ભારતમાં બ્રિટિશ કાળથી ચાલી આવે છે. જો કે હા ભૂટાનના નાગરિકો પણ ભારતીય સેનામાં જોડાવા માટે લાયક છે. ત્યાંના નાગરિકો ખાસ ભરતી યોજનાઓ હેઠળ ભારતીય સેનામાં જોડાઈ શકે છે. પરંતુ ફક્ત ભૂટાનના નાગરિકોની જ ભરતી કરી શકાય છે.

કોણ સામેલ થઇ શકે ભારતીય સેનામાં ? 
આ ઉપરાંત ભારતમાં કાયમી રીતે સ્થાયી થયેલા તિબેટીયન શરણાર્થીઓ પણ ભારતીય સેનામાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત પાસે તિબેટી સૈનિકોની એક ખાસ ટુકડી છે, જે હિમાલયમાં ચીન સામેના યુદ્ધમાં નિષ્ણાંત આક્રમણ ટુકડીની ભૂમિકા ભજવે છે.
આ ઉપરાંત સ્વતંત્રતા સમયે અથવા તેના થોડા વર્ષો પછી પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા, કેન્યા, થાઇલેન્ડ, યુગાન્ડા, તાંઝાનિયા, ઝામ્બિયા, માલાવી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇથોપિયા અને વિયેતનામ જેવા દેશોમાંથી સ્થળાંતર કરનારા ભારતીય મૂળના લોકો સેનામાં પણ જોડાઈ શકે છે. પરંતુ તેઓ પાસે ભારતીય નાગરિકતા હોવી જોઈએ.

કયા ધર્મના લોકો સૌથી વધારે સેનામાં? 
વિશ્વની ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ ભારતીય સેનામાં તમામ ધર્મના લોકો રહે છે. ભારતીય સેનામાં 70 ટકા હિન્દુ છે. મુસ્લિમો લગભગ 3 ટકા છે. ભારતીય સેનામાં શીખોનો હિસ્સો 8 ટકા છે. ખ્રિસ્તીઓ બે થી ત્રણ ટકા છે. ભારતીય સેનામાં બૌદ્ધ, જૈન અને પારસીઓનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે.
  • Follow us on: