ભારતમાં કફ સિરપ સૌથી વધુ વેચાતી દવાઓમાંની એક છે. લોકો તેને શરદી અને ઉધરસમાં રાહત મળે તે માટે વાપરે છે. જોકે આ એક સામાન્ય દવા જેવી લાગતી હોય છે, પણ તેની પાછળનો નફો ઘણો મોટો હોય છે. દવા બનાવતી કંપનીઓથી લઈને દવાની દુકાન સુધી, તમામને આમાંથી મોટી કમાણી થાય છે. 


દવા કંપનીઓનો નફો

બ્રાન્ડેડ કફ સિરપમાંથી દવા કંપનીઓને સૌથી વધુ ફાયદો થાય છે. ઉત્પાદન ખર્ચ અને માર્કેટિંગ આધારિત નફો દર 20%થી 30% સુધી હોય છે.કંપનીઓનો મોટો નફો માર્કેટિંગ દ્વારા આવે છે. મેડિકલ રિપ્રિઝેન્ટેટિવ્સ ડોક્ટરોને મળીને પોતાની કંપનીના કફ સિરપની ભલામણ કરવા કહે છે અને ડોક્ટરો તે બ્રાન્ડ prescribe કરે છે.

જેનેરિક કફ સિરપ

જેનેરિક કફ સિરપ બનાવવી ઘણી સસ્તી પડે છે. સામાન્ય રીતે ₹8માં એક બોટલ તૈયાર થઈ જાય છે. રિટેલરોને તે ₹20-₹30માં વેચવામાં આવે છે, જ્યારે તેની MRP ₹80-₹100 હોય છે. આ ભાવના તફાવત પરથી સમજાઈ જાય છે કે દવાની દુકાને કેટલો નફો થાય છે. રિટેલર્સ અથવા મેડિકલ સ્ટોર્સ જેનરિક કફ સિરપ પર 50% થી 75% સુધી નફો મેળવે છે, જે દવા કંપનીઓના નફા કરતા પણ વધારે હોય છે.

બ્રાન્ડેડ કફ સિરપમાંથી દવા કંપનીઓને વધુ રેવેન્યુ મળે છે. જયારે જેનરિક કફ સિરપ મેડિકલ સ્ટોર્સ માટે વધુ ફાયદાકારક હોય છે. દવા કંપનીઓ ઉત્પાદન અને બ્રાન્ડ વેલ્યુથી કમાઈ કરે છે. જ્યારે મેડિકલ સ્ટોર્સ રિટેલ માર્કઅપ દ્વારા કમાઈ કરે છે.


  • Follow us on: