વર્ષ 2020માં કોરોના મહામારી અને ગલવાન ઘાટીમાં થયેલી સેના ઝડપ પછી દરેક ટૂરિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એપ્રિલ 2022માં IATAએ એક નોટિસ બહાર પાડ્યું હતું કે ચીનના નાગરિકનાટૂરિસ્ટ વિઝા હવે માન્ય નહીં ગણાય.
ભારત દ્વારા આ નિર્ણય તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે ચીનમાં 22000 ભારતીય વિધાર્થીઓને તેમના દેશમાં આવવાની અનુમતિ ન હોતી આપવવામાં આવી. ચીનમાં રહેવાવાળા ભારતીયોની વાત કરીએ તો તમામ ભારતીયો કામ માટે જ ચીન દેશમાં નથી, તેઓ દુનિયાના ઘણા દેશમાં જઈને રહે છે.
કેટલા ભારતીય નાગરિક રહે છે?
વિદેશ મંત્રાલયની 2023ની રિપોર્ટ મુજબ, ભારતીય નાગરિકોને વિદેશમાં રહેવાની જાણકારી આપવવામાં આવી હતી. તે ડેટા મુજબ ચીનમાં તે સમયે લગભગ 56050 ભારતીય નાગરિક રહેતા હતા. તેમાંથી 55500 ભારતીય પ્રવાસી એનઆરઆઈ છે. બાકીના લોકો સામાન્ય લોકો છે. ચીનમાં હિન્દૂ ધર્મનો સમુદાય લઘુમત છે.
ચીનમાં કુલ વસ્તીના એક ટકા કરતા પણ ઓછા હિન્દુઓ છે. ચીનમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. રિપોર્ટ અનુસાર, તેમની કુલ વસ્તી 18.2 ટકા છે.
કેવી રીતે વિઝા મળે છે?
ચીનના પ્રવાસીઓ માટે ફક્ત કાગળ અથવા દૂતાવાસના વિઝા ઉપલબ્ધ છે. ભારતીયો માટે ચીન વિઝા પ્રક્રિયામાં સરેરાશ 4 થી 6 કાર્યકારી દિવસો લાગે છે. જૂન 2022માં, ચીને તેની વિઝા નીતિઓ હળવા કરી અને ભારતીય નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું શરૂ કર્યું.
ભારત આ દેશોને વિઝા આપતું નથી
ભારત એવા પ્રદેશોને માન્યતા આપતું નથી જે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત નથી જેમ કે તાઇવાન. ભારત તે દેશોને વિઝા આપતું નથી. માત્ર તાઇવાન જ નહીં, અન્ય દેશો પણ છે જેને ભારત માન્યતા આપતું નથી, જેમાં અબખાઝિયાનો સમાવેશ થાય છે. ભારત કોસોવોને માન્યતા આપતું નથી. કોસોવો સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય દેશ છે પરંતુ ભારત તેને માન્યતા આપતું નથી. જ્યારે ભારતમાં મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, ત્યારે ભારતે તેના બોક્સરને વિઝા આપ્યો ન હતો, ત્યારે આ બાબત પણ ખૂબ ફેમસ થઈ હતી.
દક્ષિણ ઓસેશિયા પણ જ્યોર્જિયાનો વિવાદિત પ્રદેશ છે, તેણે 1991 માં પોતાને અલગ કરી દીધું હતું. સંયુક્ત રાષ્ટ્રની સાથે, ભારત પણ તેને માન્યતા આપતું નથી. ભારત આરબ દેશ સહરાવી રિપબ્લિકને માન્યતા આપતું નથી. ભારત તાઇવાનને પણ માન્યતા આપતું નથી. ભારત સોમાલીલેન્ડને પણ માન્યતા આપતું નથી. 2020માં કોવિડના આગમન પછી ચીની નાગરિકો માટે ભારતે તમામ પ્રવાસી વિઝા સ્થગિત કરી દીધા હતા. જો કે, હવે ભારતે ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.