ઘણા લોકો જ્યારે થાક અનુભવે છે ત્યારે તેઓ ટચાકીયા ફોડે છે. ઘરના વડીલો ટચાકીયા ફૂટતા જુએ કે તરત જ તેને અટકાવી દે છે. તેમનું માનવું છે કે આ આદત સારી નથી. તે જ સમયે, ઘણા લોકોને લાગે છે કે ટચાકીયા ફોડવાથી વૃદ્ધાવસ્થામાં દુખાવો થઈ શકે છે અથવા સંધિવાની સમસ્યા ઉભી થવા લાગે છે. પરંતુ જાણો આ વિશે ડોક્ટર્સ અને રિસર્ચ શું કહે છે.

ટચાકીયા ફોડવાથી અવાજ કેમ આવે છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આંગળીઓ ખેંચવામાં આવે ત્યારે ટચાકીયાનો અવાજ કેમ સંભળાય છે? વાસ્તવમાં, જ્યારે આપણે આંગળીઓના સાંધાને ખેંચીએ છીએ, ત્યારે સાંધા વચ્ચેના પ્રવાહી પદાર્થમાં દબાણ ઘટે છે અને તે પ્રવાહીમાં ઓગળેલા વાયુઓમાં પરપોટા બને છે. આંગળીઓ પર દબાણ આવતાની સાથે જ આ પરપોટા ફૂટે છે અને કર્કશ અવાજ આવે છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં પોલાણ કહેવામાં આવે છે. જ્યારે આપણે આપણી આંગળીઓથી આ રીતે ટચાકીયા ફોડીએ, ત્યારે આ પ્રવાહીમાં ગેસને ફરીથી ઓગળવામાં ઓછામાં ઓછો અડધો કલાક લાગે છે. આનો અર્થ એ છે કે આંગળીઓને ફરીથી ટચાકીયા ફોડવા માટે ઓછામાં ઓછા અડધા કલાકની જરૂર છે.

સંશોધનમાં બહાર આવ્યું છે

જો તમને લાગે છે કે ટચાકીયા ફોડવાથી સંધિવા જેવી સમસ્યા થઈ શકે છે, તો તે સંપૂર્ણપણે ખોટું છે. ટચાકીયા ફોડવાને સંધિવા સાથે કોઈ લેવાદેવા નથી. રિપોર્ટ મુજબ 2011માં 215 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 20 ટકા લોકો દરરોજ ટચાકીયા ફોડે છે. આ જૂથના લગભગ 18.1 ટકા લોકોને તેમના હાથમાં સંધિવા હતો તેઓએ ક્યારેય ટચાકીયા ફોડ્યા ન હતા આ અભ્યાસનું પરિણામ એ આવ્યું કે ટચાકીયા ફોડે કે ન ફોડે જોખમ બંને લોકોમાં સમાન છે. ભલે તમે તમારી આંગળીઓમાં ટચાકીયા ફોડો કે નહી.

જ્યારે તમે તમારી આંગળીઓને ખેંચો છો ત્યારે શું થાય છે?

જો આંગળીઓમાં વારંવાર ટચાકીયા ફોડતા હોય તો તેનાથી સાંધામાં સોજો કે દુખાવો થાય છે. ઘણી વખત હાથની પકડ નબળી પડવા લાગે છે. જો કે આ અંગે કોઈ સંશોધન થયું નથી, પરંતુ વારંવાર ટચાકીયા ફોડવાની આદત ક્યારેક માનસિક સમસ્યાનું સ્વરૂપ લઈ લે છે. આનાથી છુટકારો મેળવવા માટે, ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.