- ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા થશે
- ડુંગળી વાયુનાશક છે અને પેટની બીમારીમાં ફાયદો આપે
- ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરવાથી કફની સમસ્યામાં લાભ થશે
સીઝન બદલાઇ રહી છે અને એવામાં બીમારીઓના વધવાનો ખતરો પણ વધી રહ્યો છે. બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવું એ એક હેલ્ધી ઓપ્શન છે. આ ફક્ત બોડીની ઇમ્યુનિટી વધારીને તેને બીમારીથી બચાવતું નથી, સાથે જ ગરમીના કારણે થતી સમસ્યામાંથી પણ રાહત અપાવે છે. તો જાણો નાની ડુંગળીના ફાયદા.
- ડુંગળીના રસને મધની સાથે લેવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને ઇન્ફર્ટિલિટીની સમસ્યા દૂર થાય છે.
- ડુંગળીમાંનું સલ્ફર બ્લડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ લેવલ ઓછું કરીને હાર્ટ એટેકથી બચવામાં હેલ્પફૂલ છે.
- ડુંગળીમાં ક્વર્સેટિન નામનું એન્ટી ઇન્ફેલેમેટરી ફ્લેવનોઇડ હોય છે. તેને ખાવાથી અને લગાવવાથી સોજા અને બળતરા દૂર થાય છે.
- ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ ક્વોલિટી હોય છે. ડુંગળીનો રસ લગાવવાથી ઘા જલ્દી ઠીક થાય છે.
- ડુંગળીના રસમાં ખાંડ મિક્સ કરીને પીવાથી ગરમીના કારણે થતી તકલીફમાં રાહત મળે છે.
- ડુંગળીમાંનું ક્વર્સેટિન નામનું એન્ટી કેન્સર એજન્ટ બોડીમાંના કેન્સર સેલ્સને ખતમ કરે છે.
- ડુંગળીમાં ક્રોમિયમ અને સલ્ફર જેવા મિનરલ્સ બ્લડ શુગર લેવલ બેલેન્સ કરીને ડાયાબિટીસથી બચાવે છે.
- ડુંગળી વાયુનાશક છે. તે ડાઇજેશન સારું કરે છે અને પેટની અનેક બીમારીથી બચાવે છે. તેને રેગ્યુલર ખાવાથી આર્થરાઇટિસની સમસ્યામાં પણ ફાયદો થાય છે.
- ડુંગળીના રસથી બંધ નાક તરત જ ખુલી જશે.
- બદલાતી સીઝનમાં ડુંગળીને રેગ્યુલર ડાયટમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારીને સીઝનલ બીમારીઓથી બચાવે છે.
- ડુંગળીના રસમાં મીસરી મિક્સ કરીને ચાટવાથી કફની સમસ્યામાં જલદી રાહત મળે છે.
- 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી- ખાંસી અને તાવમાં રાહત મળે છે.
- ડુંગળીના રસને પાણીમાં મિક્સ કરીને લગાવવાથી એક્ને અને ખીલની સમસ્યાથી રાહત મળે છે.
- ફાંસ કે કાંટો વાગે તો ત્યાં ડુંગળીનો રસ લગાવીને પટ્ટી બાંધવાથી તે સરળતાથી નીકળી જાય છે.
- વાળના મૂળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ કાળા અને મુલાયમ બને છે. તેના ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.










