- દિવાળીને દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે
- દિવાળીની રજાઓમાં લો આ જગ્યાઓની મુલાકાત
- વારાણસી અને અમૃતસર અનેક જગ્યાઓ છે ખાસ
દિવાળીને દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. એવામાં દિવાળીની રજાઓમાં ક્યા ફરવા જવું તેને લઇને તમે અસમંજસમાં હશો. ખાસ કરીને લોકો સંબંધીઓના ત્યાં જાય છે પરંતુ આ વખતે જો તમે દિવાળીને અલગ રીતે માણવા માંગો છો, તો તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. તો અમે તમને કેટલીક એવી જગ્યાઓ જણાવીશું જેની તમે મુલાકાત લઇ શકો છો અને રજાઓમાં એન્જોય પણ કરી શકો છો.

વારાણસી
વારાણસી એક ધાર્મિક અને સુંદર શહેર છે. અહીં દિવાળીની ઉજવણી પવિત્ર ગંગાના કિનારે થાય છે, જે જોવાનો એક અલગ જ લ્હાવો છે. આખો ઘાટ અસંખ્ય દીવાઓ અને મીણબત્તીઓથી પ્રકાશિત છે. તેમજ સમગ્ર શોભાયાત્રા સાથેની ખાસ આરતી જોવાનો એક અલગ જ આનંદ છે. વારાણસીમાં દિવાળીના તહેવારને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેથી તમને અહીં એક પણ એવી જગ્યા નહીં મળે જ્યાં પ્રકાશ ન હોય. દિવાળી પછીના દિવસોમાં પણ તમારા માટે વારાણસીના સુંદર ઘાટોથી માંડીને મોજમસ્તી કરવા અને ખરીદી કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે.

અમૃતસર
સુવર્ણ મંદિર માટે પ્રખ્યાત શહેર અમૃતસરમાં દિવાળી ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સુંદર રીતે પ્રકાશિત સુવર્ણ મંદિર દિવાળી દરમિયાન જોવા યોગ્ય છે. અહીંના તળાવમાં પ્રતિબિંબિત ગોલ્ડગન ટેમ્પલની લાઇટ અને લેમ્પ ખૂબ જ સુંદર લાગે છે. દિવાળી પછી પણ અમૃતસરમાં લસ્સી, છોલે ભટુરેથી માંડીને જલિયાવાલા બાગ, પાર્ટીશન મ્યુઝિયમ, ગોવિંદગઢ ફોર્ટ જેવા ઐતિહાસિક સ્મારકો જોવા અને ખાવા માટે ઘણું બધું છે.

કોલકાતા
ધાર્મિક દૃષ્ટિકોણથી, કોલકાતામાં તમે લાઇટ્સ, સ્વાદિષ્ટ મીઠાઈઓ અને દેવી કાલીના મોટા અને સુંદર પંડાલો જોવા મળશે. વારાણસીની જેમ, કોલકાતામાં વિશ્વભરના પ્રવાસીઓ મુલાકાત લે છે. આ સિવાય તહેવારો પછી તમે ઘાટો, સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો અને હોગ માર્કેટ અને એલ્ગિન સ્ટ્રીટ જેવા લોકપ્રિય સ્થળોથી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ શકો છો.

અયોધ્યા
દિવાળી દરમિયાન પવિત્ર શહેર અયોધ્યા ચમકી ઉઠે છે. સરયુ નદીના કિનારે 300,000 થી વધુ માટીના દીવા પ્રગટાવવા માટે આ શહેરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. દિવાળી દરમિયાન તમારે ઓછામાં ઓછા એક વખત અયોધ્યાની મુલાકાત લેવી જોઈએ. દિવાળી પછી તમે રામકોટની મુલાકાત લઈ શકો છો, જે સમગ્ર ભારતમાંથી ભક્તોને આકર્ષે છે અથવા તમે ભગવાન રામના કથિત જન્મસ્થળ રામ જન્મભૂમિની મુલાકાત લઈ શકો છો. અયોધ્યામાં મુલાકાત લેવા માટે ઘણા ઐતિહાસિક સ્થળો છે જે તમારા સપ્તાહના અંતને સંપૂર્ણપણે યાદગાર બનાવી શકે છે.

મુંબઈ
મુંબઈ તેની આગવી શૈલીથી દિવાળી ઉજવે છે. તમે મુંબઈમાં ક્યારેય કંટાળો નહીં આવે કારણ કે શહેરમાં જોવા માટે ઘણું બધું છે. તમે આખું મુંબઈ શહેર સંગીત અને રોશનીથી ઝગમગતું જોશો. અહીં તમે મરીન ડ્રાઈવના કિનારે બેસીને પાણીમાં પ્રકાશના પર્વની મજા માણી શકો છો. મુંબઈમાં ખરેખર મોટી હોટેલ્સ છે જે તમે બુક કરી રહી શકો છો. અહીં તમે બીચ અને ચોપાટી પર જઈ શકો છો.