શ્રાવણ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરે છે. કેટલાક લોકો એકટાણું વ્રત અથવા તો ફક્ત એક ધાન્ય ઉપર પણ આખો મહિનો કરે છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ બજારમાં વિવિધ પ્રકારની ફરાળી વાનગીનું વેચાણ થવા લાગે છે. બજારમાં અત્યારે ફરાળી ખીચડીથી લઈને ફરાળી બિસ્કીટ અને ફરાળી પિઝા મળવા લાગ્યા છે. ત્યારે આ ખાસ દિવસોમાં તમારે બજારની વાનગી ના ખાવી હોય તો તમે ઘરે પણ બજાર જેવી ફરાળી વાનગી બનાવી શકો છો.


ફરાળી ઢોકળા બનાવવાની સામગ્રી :

  • 2 કપ મોરૈયો
  • 1 કપ ખાટ્ટુ દહીં
  • 1 ચમચી મીઠુ
  • 1/2 ચમચી લાલ મરચુ
  • 1 પેકેટ ઈનો
  • 5 ચમચી તેલ
  • 2 ગ્લાસ પાણી

ફરાળી ઢોકળા બનાવવાની રીત :

ઉપવાસમાં આ વાનગી બનાવવા માટે તમારે શક્ય બને ત્યાં સુધી સ્વચ્છ આહારનો ઉપયોગ કરવો. આ વાનગી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મોરૈય લો પછી તેમાં ખાટું દહીં ઉમેરો. આ દહીં ઉમેરી તેમાં હૂફાંળું પાણી જરૂરિયાત મુજબ ઉમેરો. પછી આ મિશ્રણને બરાબર હલાવીને થોડી વાર રેસ્ટ થવા દો એટલે કે 30 મિનિટ સુધી એરટાઈટ વાસણમાં ઢાંકી રાખો. ત્યાર પછી એક મોટું વાસણ લો અને તેની અંદર થાળી મૂકો. આ થાળીમાં એક ચમચી તેલ લગાવોને તેમાં ખીરુ ઉમેરીને લાલ મરચાંનો છંટકાવ કરો. પછી આ આ મિશ્રણને 15 મિનિટ સ્ટિમ થવા દો. આ ઢોકાળા સ્ટિમ થઈ જાય પછી થોડવાર રૂમ ટેમ્પરેચર આવવા દો. પછી આ ઢોકળા ઉપર તેલ લગાવી ને કાપા પાડો. બજાર જેવા બનાવવા તમે આ ઢોકળા પર ખમણની જેમ જીરાં તેલને ગરમ કરી તેના પર રેડી શકો છો. તૈયાર થઈ ગયા તમારા ફરાળી ઢોકળા.  

  • Follow us on: