દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવારની સિઝનમાં આપણે ઘરની સફાઇ કરીએ છીએ. ઘરનો દરેક ખૂણો તથા દરેક વસ્તુઓની સફાઇ કરીએ છીએ. ત્યારે ખાસ કરીને પૂજા ઘરની પણ સફાઇ કરવામાં આવે છે. ભગવાનની તાંબા પિત્તળની મૂર્તિને પણ ચકચકિત કરીએ છીએ. પરંતુ આજે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું કે તેઓ પિત્તળની મૂર્તિઓ કેવી રીતે સરળતાથી સાફ કરી શકાય. જેથી મૂર્તિ નવી નક્કોર જ હોય તેવી લાગશે.

પિત્તળની મૂર્તિ કેવી રીતે સાફ કરવી

પિત્તળની મૂર્તિઓની સફાઈ શરૂ કરવા માટે તમારે ફક્ત 2 ઘરગથ્થુ વસ્તુની જરૂર પડશે, જેમાં થોડું મીઠું અને વિનેગરનો સમાવેશ થાય છે. વિનેગરના થોડા ટીપાં પાણીમાં ઉમેરીને પિત્તળની મૂર્તિને મીઠાથી સ્ક્રબ કરો. સ્ક્રબ કર્યા પછી, તમે ભગવાનની મૂર્તિઓને ગરમ પાણીથી ધોઈ લો, આમ કરવાથી મેલ ગાયબ થઇ જશે.

ઘરેલું વસ્તુઓથી મૂર્તિ ચમકાવો

તમે લીંબુ અને બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે લીંબુ અને બેકિંગ સોડા પોલિશ ટ્રાય કરો. અડધા લીંબુનો રસ, એક ચમચી ખાવાનો સોડા સાથે મિક્સ કરો. પેસ્ટ બની જાય ત્યાં સુધી તેને હલાવો. સોફ્ટ કપડાથી તૈયાર મિશ્રણને મૂર્તિ પર લગાવો. તે બાદ પિત્તળની મૂર્તિઓને ગરમ પાણીથી ધોઈને સૂકવી દો. જો જરૂરી હોય તો, આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.

  • Follow us on: