ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. આ ક્રોનિક રોગને ઓળખવો સહેલો નથી. આ બીમારીનું નિદાન થયા બાદ વ્યક્તિએ આહારમાં અને જીવનશૈલીમાં અનેક બદલાવ કરવો પડે છે. ડાયાબિટીસ ટાઇપ-1 અને ટાઇપ-2 એમ બે પ્રકારના હોય છે. આ બીમારી વધુ ગંભીર બનતા કયારેક વ્યક્તિએ અંગ કપાવું પડે છે તો કયારેક અંધ થવા સુધીનું જોખમ વધે છે. એટલે જ્યારે પણ કોઈને ડાયાબિટીસ બીમારીનું નિદાન થાય તો પરિવારના અન્ય સભ્યોએ પણ ચેતવું જોઈએ.
બીમારીનું નિદાન થવા પર ચેતી જજો













